SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૯ પતુ લિબરલ પક્ષને આધાર તૂટી જતાં તેને રાજીનામું આપવું પડયું. ફરી પાછે ઈ. સ. ૧૯૨૯માં તે વડા પ્રધાન થયા, પણ આર્થિક મુશ્કેલીઓનો પ્રશ્ન ઉપસ્થિત થતાં રાજાની સૂચનાથી તેણે રાષ્ટ્રીય પ્રધાનમંડળ રચ્યું. અને પિતાના પક્ષને થાપ આપી તે વડા પ્રધાનના સ્થાન ઉપર ઈ. સ. ૧૯૩૫ સુધી ચાલુ રહ્યો. પરંતુ તે દરમિઆન જગતની પ્રજાએ તેને માટે જે જે આશાઓ બાંધી હતી, તેમાંનું કઈ પણ કાર્ય તેને હાથે ફળીભૂત થયું નહિ. તે ઈ. સ. ૧૯૩૭માં ૭૧ વર્ષની ઉંમરે મરણ પામ્યો. સ્ટેન્લી બાવિનઃ ટેલ્લી બાલ્ડવિન અત્યારના ઈગ્લેન્ડના રાજકારણમાં અગત્યની વ્યક્તિ છે. તેનો જન્મ ઈ. સ. ૧૮૬૭માં વર્સસ્ટર શાયરના વડલી ગામમાં થયો હતો. તેને પિતા આફ્રેડ બાલ્ડવિન “ગેટ વેસ્ટર્ન રેલવે કંપનિને ચેરમેન હતો. તેની માતા સ્કેચ હતી. તેના પિતા વેલ્શ હતો. સ્ટેન્લી બાલ્ડવિન ૪૧ વર્ષની ઉંમરે પાર્લમેન્ટમાં દાખલ થયો હતો. પહેલી નવ વર્ષની કારકીર્દિ દરમિઆન તેણે પાંચજ ભાષણ આપ્યાં હતાં. જ્યારે ઇ. સ. ૧૯૧૬માં બેનર લ ખજાનચી બન્યા, ત્યારે તેણે બાલ્ડવિનને પિતાને પામેન્ટરી ખાનગી મંત્રી બનાવ્યું. બીજે જ વર્ષે તે નાણાંકીય મંત્રી બન્યો. લડાઈ પછી તેણે પિતાની મિલ્કતને પાંચ ભાગ (ઈ. 1,50,000) રાષ્ટ્રને અર્પણ કરતો પત્ર “ટાઈમ્સને લખે. આથી તે એકદમ ખ્યાતિમાં આવ્યો. ઇ. સ. ૧૯૨૧માં તે બોર્ડ ઍવુ ટ્રેડનો પ્રમુખ બન્યા. બીજે જ વર્ષે હૈઈડ ચૅર્જનું મિશ્ર પ્રધાનમંડળ તૂટી જવાથી બેનર હૈ મુખ્ય પ્રધાન થયો. આ નવા પ્રધાનમંડળમાં બાલ્ડવિન ખજાનચી બન્યું. ઈ. સ. ૧૯૨૩માં બોનર હૈએ રાજીનામું આપ્યું. આથી રાજાએ બાલ્ડવિનને વડા પ્રધાન બનાવ્યો. ઈ. સ. ૧૯૨૩નું તેનું પ્રધાનમંડળ ઝાઝ સમય ટક્યું નહિ, અને ઇ. સ. ૧૯૨૪માં રાસે મૅકડોનાલ્ડ વડે પ્રધાન બન્ય; પણ “ઝેનબુ પત્ર” પર તેની હાર થઈ, અને ફરીથી બોલ્ડસિન મુખ્ય પ્રધાન બન્યું. આ વર્ષો દરમિઆન (ઇ. સ. ૧૯૨૪-૨૯) તેના ૨૯ by BAPS
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy