SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ ફન્સની સત્તાને દાબી પ્રોટેસ્ટન્ટ પક્ષના વિજયને માર્ગ મોકળો કરી દેવામાં આવ્યું. સ્કેટલેન્ડે ટુઅર્ટ રાજ્યક્રાન્તિ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી તેના સિદ્ધાંત સ્વીકાર્યા; માત્ર કેથલિક આયર્લેન્ડ જેમ્સને પક્ષ પકડી રાખે, એટલે તેની વિરુદ્ધ સખત કાયદા ઘડાયા. આ યુગમાં ઇતિહાસનું એક નવું પ્રકરણ ઉધડે છે. રાજાઓના એકહથ્થુ અને કુલમુખત્યારીવાળા અમલને પલટો આપીને રાજસત્તા કેવી મર્યાદિત બનાવી દેવામાં આવી, અને લેહકનું કેવા અને કેટલા ભાગે જતન કરવામાં આવ્યું, તેને આ ઈતિહાસ છે. ૨. ધર્મ રાજા અને પ્રજા વચ્ચે વિરોધ થવાનું મુખ્ય કારણ ધર્મ હતું. ટુઅર્ટ રાજાઓની રાજકીય અને ધાર્મિક નીતિ ગુંથાઈ ગએલી છે, એટલે વિરોધનાં અને કારણ એકમેકને અવલંબી રહેલાં છે; છતાં ટુઅર્ટ રાજાઓ જોહુકમી રાજનીતિ તજી દેવાનું ડહાપણ દર્શાવી શક્યા હોત, તે માત્ર ધાર્મિક કારણથી ઝગડા થાત નહિ. ધર્ણોદ્ધાર થતાં કેથલિક અને ટેસ્ટન્ટ એવા બે પક્ષ થયા. પરંતુ સુધામાં પાછાં બે તડ પડયાં (૧) બાઈબલના આદેશને અક્ષરશઃ અનુસરનારા અતિ શુદ્ધ ઉપાસનાના હિમાયતીઓ મ્યુરિટન કહેવાયા. તેમને એપિસ્કેપલ ધર્મને આડંબર પસંદ ન હતું, એટલે જેમ્સ ગાદીએ આવ્યો ત્યારે આ વિરાગપ્રિય પંથવાળાઓએ ધાર્મિક સ્વતંત્રતાની માગણી કરી; પણ રાજાએ તેમના વિરુદ્ધ કાયદાની જ ખલા તૈયાર કરી. અનેક ચુસ્ત પૂરિટને જન્મભૂમિ તજી પરદેશમાં જઈ વસ્યા; ચાર્લ્સ ૧લાના સમયમાં હૈડે યુરિટને પર અનેક અત્યાચાર ગુજાર્યા. અનેક યૂરિટને ધર્મને કારણે ઘરબાર કે ગુજરાનના સાધન વિનાના થઈ પડયા. તેમાંના કેટલાએ દરિયાપારનાં સંસ્થામાં જઈ વસ્યા, પણ જેઓ દેશમાં રહ્યા તેમણે રાજાની નીતિ પ્રત્યે વિરોધ કર્યો કર્યો. આખરે ક્રોપ્ટેલની સરદારી નીચે આ ધર્મવિરેધે ઉગ્ર સ્વરૂપ પકડયું, અને તેનું વિપરીત પરિણામ આવ્યું. ચાર્લ્સના શિરચ્છેદ પછી મૂરિટીનું જોર વધી પડ્યું. તેમની નીતિ નિષ્કલંક હતી, તેમની ધર્મબુદ્ધિ તીવ્ર હતી, અને તેમને વિરાગ ઉત્કટ હતું, પણ તેમની
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy