SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩જું ચાટર્સ ૧લે રાજાપ્રજા વચ્ચે યુદ્ધ લડાઈની તૈયારીઃ આ સ્થિતિએ મામલે પહોંચ્યા પછી લડાઈ કર્યા વિના છૂટકે જ નહોતે, છતાં પાર્લામેન્ટ યુદ્ધને આરંભ કરવા ઇચ્છતી ન હતી; તેને તે રાજા દેશના કાયદા પ્રમાણે બંધારણપૂર્વક રાજ્ય કરે એટલું જ જોઈતું હતું. રાજાએ નિયમ પ્રમાણે ચાલવાનું વચન આપ્યું, પણ પાર્લમેન્ટને તેના ઉપર વિશ્વાસ બેસતો ન હતો. પાર્લમેન્ટ ધાર્યું કે મુલ્કી કે લશ્કરી સત્તા રાજા પાસેથી લઈ લેવાથી રાજા સુધરી જશે. રાજા તરફથી વિષ્ટિનાં કહેણ આવતાં હતાં. જવાબમાં પાર્લમેન્ટ એવી માગણી કરી કે લશ્કર અને નૌકાસૈન્યના સેનાપતિની પસંદગી પાર્લમેન્ટ કરે, અને કિલ્લા, દારૂગળ અને લેર પણ પાર્લમેન્ટને સ્વાધીન રહે. આ માગણી સાંભળીને રાજા બોલી ઉઠયો, “એક કલાક પણ એ સત્તા ન આપું; મારાં સ્ત્રીપુત્રોને પણ એ હુંક ન આપું પૂર્વે કોઈએ ઈલેન્ડના રાજા પાસે આવી માગણી કરી નથી.” રાજા એકદમ હલ્લ તરફ ત્યાંને દારૂગોળો કબજે કરવા ગયે, પણ ત્યાંના કિલ્લેદાર સર જહૅન હેથેમે દરવાજા વાસી દઈ રાજાને અટકાવ્યો. હવે વાત વધી પડી. તેમાં વળી પાર્લમેન્ટ પરાપૂર્વના ખાસ રાજહકે છીનવી લેવાની પેરવી કરવા માંડી, અને ઈસેકસના ઠાકરને સેનાપતિ નીમ્યું. રાજાએ ધન અને સેના એકઠાં કરવા માંડયાં, અને ઈ. સ. ૧૬૪રના ઓગસ્ટની ૨૨મી તારીખે નોટિંગહેમના કિલ્લા ઉપર શાહી વાવટે ફરકાવ્યો. તોફાની પવન અને વરસાદનાં ઝાપટાંમાં વાવટે નીચે પડી ગયે, એટલે રાજપક્ષના માણસો ઉદાસ થઈ ગયા. ૬ - બે પક્ષના બળની તુલના આ આંતરવિગ્રહમાં અંગ્રેજ પ્રજા બે વિભાગમાં વહેંચાઈ ગઈ. બંને પક્ષના લેકે કહેતા કે પ્રાચીન શાસનપદ્ધતિને સુરક્ષિત રાખવા માટે હથિયાર ઉપાધ્યાં છે. પાર્લમેન્ટના પક્ષના લોકે કહેતા કે યુદ્ધ કરવાની ફરજ પડે છે એથી અમે લાચાર છીએ; અમે જે કરીએ છીએ તે રાજાના હિતને વાસ્તે છે. ખરું જોતાં આ યુદ્ધ સંરક્ષક અને ઉછે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy