SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ : ઇલિઝાબેથની કુશળ રાજનીતિને પરિણામે પરદેશી યુદ્ધોમાં અંગ્રેજો જીયા, . એટલે તેમની ભીરુતા જતી રહી. ઈગ્લેન્ડનું નૌકાસૈન્ય વધારવાની હેનરી ૮માએ શરૂ કરેલી નીતિને ઇલિઝાબેથ વળગી રહી. તેણે આપેલા ઉત્તેજનથી જે સૈન્ય તૈયાર થયું તે નાનું હતું, છતાં સ્પેનને હરાવી શક્યું. અંગ્રેજ ખલાસીઓમાં સાહસિકતા અને આત્મવિશ્વાસ આવ્યાં. પ્રજામાં નવું લેહી ધબકવા લાગ્યું. વિજય, સાહસિકતા, સમૃદ્ધિ, અને શાન્તિથી દેશના સાહિત્યમાં અજબ ચેતન આવ્યું, અને અંગ્રેજી સાહિત્યમાં નવો યુગ બેઠે. અનેક કવિઓ, નાટ્યકાર, તત્ત્વજ્ઞાનીઓ અને લેખકોએ દેશમાં ન ઉલ્લાસ આણી નવી અભિલાષાઓ પ્રકટાવી. આ સર્વની સામટી અસર પ્રજાના સામાજિક જીવન પર થઈ અને લેકમાં સ્વાશ્રય, આત્મજ્ઞાન અને સ્વાતંત્ર્યની ભાવના જન્મ પામી. પ્રકરણ પણું યુરોપમાં ધર્મોદ્ધાર નવી વિદ્યાઃ મધ્ય યુગના અંતમાં ઈગ્લેન્ડમાં ચાલતા ત્રીસ વર્ષના વિગ્રહ વખતે યુરોપના બીજા ભાગમાં ભવિષ્યના ઇતિહાસ પર પ્રબળ છાપ પાડનારા કેટલાક બનાવો બન્યા. મધ્ય એશિઆમાં લડાયક તુર્કો એશિઆ માઈનોર છતી, ડાર્ડનલ્સ ઓળંગી ડાન્યુબ નદીના કિનારા પર રહેનારા લકોની જોડે યુદ્ધમાં ઉતર્યા. સરસ્વતીના મંદિર સમું કોન્સ્ટન્ટિનોપલ ઈ. સ. ૧૪૫૩માં તેના હાથમાં ગયું, એટલે સેન્ટ સક્યિાનું ખ્રિસ્તી દેવાલય મસ્જિદના રૂપમાં ફેરવાઈ ગયું. પરિણામે ગ્રીક ફિલસુફે અને પંડિતે બીજા દેશમાં જવા લાગ્યા. તેમને કળાસિક અને વિદ્યાપ્રિય ઈટલીનાં સમૃદ્ધ નગરમાં આવકાર મળ્યો. અનેક માણસો આ પંડિતને ચરણે બેસી ગ્રીક સાહિત્ય અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવા લાગ્યા. લોકોમાં જ્ઞાનની પિપાસા વધી ગઈ. બીજી તરફ કોપરનીકસની શોધ. સૃષ્ટિનાં રહસ્ય ઉકેલતી હતી. પિોર્ટુગીઝ નાવિક વાકે-ડે-ગામાનાં વહાણએ અજાણ્યા સમુદ્રમાં સફર કરીને હિંદુસ્તાનના બંદરમાં લંગર નાખ્યું, એટલે પૃથ્વીના કદ અને આકાર સંબંધી રાનમાં
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy