SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદની સંહિતાઓ [ ૮૯ રાખવી એમાં મહત્તા મનાતી. ઘેાડા પણ વાહન તરીકે વેદકાળમાં વપરાતા હતા, પણ તે પછીના કાળમાં ધાડાઓ અને હાથીઓની લશ્કરનાં અંગ તરીકે કીમત વધી. આ અતિહાસિક સ્થિતિમાં પ્રાણીનું વૈદ્યક પશુ માટે ભાગે માનુષ વૈદ્યકના ધેારણે જ વિકાસ પામે એ સ્વાભાવિક છે. અને વસ્તુતઃ એમ જ બન્યું છે. અશ્વવૈદ્ય અને ગજવૈદ્યક ઉપર જે સાહિત્ય મળે છે તેનેા પ્રાચીનતમ અંશ પણ આયુર્વેદના મૂળ ગ્રન્થા રચાયા પછી તૈયાર થયા છે અને એ રીતે હસ્ત્યાયુર્વેદ આદિ સાહિત્યનું વૈદ્યક સાહિત્યમાં સ્થાન ધ્યાનમાં રાખીને જ, ઉપલબ્ધ ગ્રન્થાના રચના– સમય ગમે તે હાય પણ, એની ગાંધ અહીં કરવાનું યેાગ્ય ધાયુ′ છે. અધવૈદ્યક—શાલિહાત્રસંહિતા નામનેા ગ્રન્થ જોકે અત્યારે આખા મળતા નથી, પણ પુનર્વસુ આત્રેય અને ધન્વન્તરિ પેઠે અવૈદ્યના મૂળ ઉપદેશક તરીકે હયધેાષના પુત્ર શાલિહાત્ર પ્રસિદ્ધ છે અને તેણે સુશ્રુતને ઉપદેશ કર્યાં હતા એમ કહ્યું છે. શાલિહેાત્રની એક અપૂર્ણ હાથપ્રત ઇઢિયા આફ્રિસ લાયબ્રેરીમાં છે. આ ગ્રન્થમાં અષ્ટાંગ અવૈદ્યનું આઠ સ્થાનમાં વર્ણન કર્યું. છે, પણ જે મળે છે તે તેા ત્રુટિત પ્રથમ સ્થાન છે, ખીજેથી ખીજા કટકાએ પણ ત્રુટિત મળ્યા છે.૨ આ ગ્રન્થનું કે અશ્વવૈદ્યક સંબંધી કાઈ ખીજા સ ંસ્કૃત ગ્રન્થનું કુબ્રત ઉલ મુક નામથી ઈ. સ. ૧૩૮૧ માં કારસી ભાષાન્તર થયું છે. વળી, આવા જ કાર્ય પુસ્તકનું માગલ શહેનશાહ શાહજહાનના વખતમાં કિતાબ ઉલ વૈત નામથી અરખીમાં . ૧. જીએ ગિરીરાયન્દ્ર મુખેાપાધ્યાયનું · હિસ્ટરી ઑફ ઇડિયન મેડિસિન’, ૨', ૨, પૃ. ૩૬૬ થી ૩૭૨. ૨. એજન, પૃ. ૩૭૪,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy