SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમાં આયુર્વેદનાં બીજે તાવ માટે આયુર્વેદમાં જ્વર શબ્દ છે, પણ અથર્વવેદમાં તકમનું શબ્દ છે, જે પાછળથી નથી વપરાયે. આ તકમન ટાઢિયા તાવને વાચક છે એમ જણાય છે. પહેલાં ટાઢ આવવી, પછી ગરમી થવી, વળી એકાંતરે, તરિય વગેરે ભેદને સ્પષ્ટ ઉલ્લેખ છે.' જવરને ચરક રોગોમાં મુખ્ય ગણે છે. આજે વર આ દેશના મનુષ્યની ઘણું મેટી સંખ્યાને ભેગ લે છે. ચરક-સુશ્રુતના વખતમાં એ એવો જ ભયંકર હશે એમ ચરક-સુશ્રુતનાં વચનો ઉપરથી જણાય છે. અથર્વવેદમાં એની ભયંકરતા સ્પષ્ટ છે–મીમાતે ત રત : ( મ. ૨. ૫–૨–૧૦ ). તાવની ઓળખાણ (diagnosis) તે આથર્વણ વૈદ્યને પૂરી હતી. આજની પેઠે તે વખતે પણ શરઋતુમાં તાવ વધારે આવતું હશે–તૃતીયરું વતૃતીયં શભુિત વારમ્ (. . ૫-૨૨-૧૩). તાવના ઉધરસ, શરદી, માથાને દુખાવો વગેરે ઉપદ્રવને પણ સ્પષ્ટ ઉલ્લેખ છે. તાવને પરિણામે થતા કમળાનું પણ વર્ણન મળે છે. તકમનાશન (વરહર) તરીકે કુછ કઠ)નાં ખાસ વખાણ કર્યા છે. જે અલબત્ત, તાવ જેટલે વિસ્તાર બીજા કેઈ વેગને નથી મળતો, પણું શીર્ષામય, શરદી, ઉધરસ, ક્ષય, કમળો વગેરે રોગો ઓળખાયા હોય એમ દેખાય છે. જળાદરને વ્યાધિ આ દેશમાં ઘણો જૂને છે. વરુણના અપરાધનું પરિણામ એને ગણેલ છે 1. नमः शीताय तक्मने नमो रूराय शोचिषे कृणोमि । यो अन्येचुरुभयारभ्येति तृतीयकाय नमो अस्तु तक्मने । મ. ૨. ૧-૨૫-૪ ચો મજેદુમતિ . ૨. ૭–૧૧૬–૨. . ૨. તાવના ઉલ્લેખ માટે જુઓ ૩૫, .૧-૨૫, ૫-૨૨, ૬-૨૦, ૧૯-૩૯, ૫-૪, ૯-૮-૫, ૭-૧૧૬ વગેરે.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy