SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વેદમાં આયુર્વેદનાં ખીજો [ ૨૩ જેટલા વૈદ્યક વિષયેાની જેટલી વિગતવાર માહિતી છે તેટલી વિગતના તા વૈદિક સમયમાં સંભવ જ નથી. પણ એ બધા વિષયો વિશે ખીજાત્મક સૂચને પણ વેદ્યમાં મળવાં જોઈએ એવી આશા ખાટી છે. છતાં આશ્ચર્યકારક લાગે એટલા બધા વૈદ્યક વિષયેાનું કાંઈક સૂચન વેમાં મળે છે. વેદેમાંથી લગભગ સે। જેટલી વનસ્પતિઓનાં નામેા મે' તારવ્યાં હતાં.૧ પછી મહામહોપાધ્યાય ગૌ. હી. આઝાના અભિનંદન ગ્રન્થમાં શ્રી એકેન્દ્રનાથ શ્વેષે વૈદિક સાહિત્યે ઉભિદેર કથા' નામના લેખ બંગાળીમાં લખ્યા છે, જેમાં ૧૨૯ વનસ્પતિનામા ઉલ્લેખેલાં છે.. પણ આ બધી વનસ્પતિઓના ઔષધીય ઉપયેામ જાણવામાં હતા એમ કહેવું મુશ્કેલ છે. કેટલીક વનસ્પતિનાં નામેા લાકડાંના ઉપયેાગને અંગે તેા કેટલાંક સૃષ્ટિવનના પ્રસંગમાં મળે છે. C કેટલાંક નામેા વનસ્પતિનામેા છે એમ સમજાય છે, પણ કઈ વનસ્પતિ છે તે સમજાતું નથી, કારણ કે પાછલા આયુર્વેદિક સાહિત્યમાં એ નામા દેખાતાં નથી. પણ અધેડા ( અમાñ ), કઠ ( ષ્ઠ ), ગૂગળ શુનુજી ), પીપર (fqઝી) વગેરે પાછળથી ખૂબ વપરાયેલી વસ્તુઓ રેગ દૂર કરવામાં ઉપયેગ થયા છે, એ ધણું સૂચક છે. અબલત્ત, કાઈ પણ વનસ્પતિના યાંત્રિક ક્રિયાથી તદ્દન છૂટા ઔષધીય ઉપયોગ કહ્યો હોવા ખાખતમાં શંકા છે. વનસ્પતિઓ ઉપરાંત લેાઢું, સાનું, સીસું, કલાઈ, કાંસું અને ત્રાંબુ' એટલી ખનિજ ચીજોની પણ વૈદિક ઋષિઓને માહિતી હતી, પણ દવા તરીકે કાઈ પણ ખનિજના ઉપયાગના વૈદિક સાહિત્યમાં ઉલ્લેખ હાય એમ જાણવામાં નથી. . ૧, જુએ ‘આયુર્વે વિજ્ઞાન’, કાર્તિક, ૧૯૯૮. ૨. શ્રી, એકેન્દ્રનાથ ટ્વાષના લેખના ગુજરાતી અનુવાદ માટે જીએ આયુર્વે દિવજ્ઞાન' ના ૧૯૩૬ આશ્વિન અને ૧૯૩૭ કાર્તિક અંકા.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy