SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] આયુર્વેદને ઈતિહાસ ટુબીજનમાં ઈ. સ. ૧૫૫૮ ની હાથપ્રત છે, એટલે ભાવપ્રકાશ એથી મેડે તે નથી જ. કવિરાજ ગણનાથ સેન કહે છે તેમ શારીરવર્ણન સુશ્રતાદિ ગ્રન્થમાંથી “ગતાનુગતિક રીતે ” ભાવમિત્રે ઉતાર્યું છે અને “પ્રમાદસંકુલ” છે, પણ એને સમય જતાં એ ક્ષમ્ય છે અને બીજી રીતે એ ગ્રન્થની કીમતને એથી કશે બાધ આવતો નથી. વાભટ પછી આયુર્વેદનાં સર્વ અંગેનો જેમાં સમાવેશ કરવામાં આવ્યો હોય એવો ગ્રન્થ તે એક ભાવપ્રકાશ જ છે, એમ વિરજાને ચરણ ગુખે કહ્યું છે, પણ સોઢલ પછી એમ ખરી રીતે કહેવું જોઈએ. વળી, જે ચરક–સુશ્રોક્ત શલ્ય–શાલાક્ષાદિ વાતને પ્રચાર વૈદ્યોમાં ઓછો થઈ ગયો હતો તેને ભાવપ્રકાશમાં ટૂંક સાર જ આપવામાં આવ્યો છે, જ્યારે જે અનેક નવા વેગે પ્રચારમાં આવ્યા હતા તેમાંથી પિતાને સારા લાગ્યા તે ભાવમિએ આપ્યા છે. વળી, અફીણ તો શાગધરાદિમાંય છે, પણ ચોપચીનીને ભાવમિથે જ પહેલો ઉપાય કર્યો છે. ફિરંગરોગનું વર્ણન તથા મરિકા રહેવા દઈને પણ લોકપ્રસિદ્ધ શીતલાનું વર્ણન કર્યું છે એ ગ્રન્યકારની જાગરૂકતા દર્શાવે છે. ભાવમિત્રે પૂર્વ ખંડ, મધ્યખંડ અને ઉત્તરાખંડ એ રીતે ત્રણ ખંડમાં ગ્રન્ય ર છે, જોકે છેલ્લે ઉત્તરાખંડ તો તદ્દન નાને છે. વળી પૂર્વ ખંડ અને મધ્યખંડમાં પહેલે ભાગ, બીજો ભાગ એ રીતે ભાગ પાડયા છે. પ્રથમ ખંડમાં અશ્વિનીકુમારની અને આયુર્વેદાચાર્યોની ઉત્પત્તિથી આરંભી સૃષ્ટિક્રમ, ગર્ભપ્રકરણ, દોષ અને ધાતુનું વર્ણન, દિનચર્યા, ઋતુચર્યા વગેરે વિષયો પછી વિસ્તારથી નિઘંટુ આપે છે, જેમાં અમુક દ્રવ્ય ન મળે તે એને બદલે કયું લેવું તે એટલે ૧, જેલી, મેડિસિન, પૃ. ૩. ૨. પ્રત્યક્ષશારીર, ઉ, પૃ. ૬૩. ૩. જુઓ “વનૌષધિદર્પણ”ની ઉપક્રમણિકા, પૃ. ૩૬,
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy