SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૫ દક્ષિણ ભારતનું વૈદ્યક ઈ. સ. ૧૩ મા ૧૪ મા શતક સુધી આપણે પહોંચી ગયા છીએ. અર્વાચીન કાળ તરફ એથી આગળ વધતાં પહેલાં દક્ષિણ ભારત, જેમાં દ્રાવિડ, આ%, કેરલનો સમાવેશ થઈ જાય છે, તે પ્રદેશના વૈદ્યક ઉપર એક ટૂંકી નજર નાખી લઈએ. દક્ષિણ ભારતના વિદ્વાન વૈદ્યો પિતાને ત્યાં પ્રચલિત વૈદ્યકને અગત્યસંપ્રદાય કહે છે અને આત્રેય, સુશ્રુત એ બે જેવો એને ત્રીજે સંપ્રદાય ગણે છે; પણ અતિહાસિક દૃષ્ટિએ ખરી વાત એટલી જ લાગે છે કે દક્ષિણ ભારતમાં ઉત્તરમાંથી જે સંસ્કારપ્રવાહ ઘણું પ્રાચીન કાળમાં ગયે તેને ત્યાંના લેકેએ અગત્ય નામ આપ્યું. પણ આથી દક્ષિણ ભારતનાં તામિલ, કેરલ એણે કws ઉત્તરમાંથી સંસ્કારે ગયા પહેલાં કશું સંસ્કૃતિ જેવું છે. બંગ, (ક એમ કહેવાની મારી મતલબ નથી, પણ એ પ્રાચીનતર સ્વતંત્ર અંશ અત્યારે છૂટો પાડો અશક્ય છે; એટલે સ્થાનિક અને ઉત્તરમાંથી આગન્તુક સંસ્કારનું મિશ્રણ થઈને દક્ષિણ ભારતમાં જે સંસ્કૃતિપ્રવાહ ચાલ્યું તે અગત્યસંપ્રદાય. વળી, દક્ષિણને પ્રદેશ મધ્યકાળમાં પણ કાંઈક છૂટો રહેવાથી ત્યાં જે વિકાસ થયે તે પણ ૧. જુઓ “દક્ષિણ ભારતમાં આયુર્વેદવિદ્યાને પ્રચાર ” એ નામનું ૨૬-૨-૧૯૧૭ને દિવસે પૂનાના આઠમા નિ. ભા. વૈદ્ય સંમેલનમાં આપેલું અને “આયુર્વેદ વિજ્ઞાન” પુ. ૧ ના ૫, ૧૫ થી આગળ છપાયેલું વ્યાખ્યાન, એ વ્યાખ્યાનમાંથી આ પ્રકરણમાંની માહિતી ઉતારી છે, ૧૪ -
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy