SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ રસવિદ્યા અને રસગ્રન્થા [ ૧૯૧ સતત્રોને યુગ અગિયારમા–બારમા શતકથી રસતંત્ર રચાવા માંડયાં છે. તે પહેલાંના કાળના આયુર્વેČદીય ગ્રન્થકારાને ખનિજોની કેટલી ખબર હતી તથા ઔષધ તરીકે તેને કેટલા ઉપયાગ તેઓએ કર્યાં છે, એ ટૂંકામાં જોઈ લીધું. હવે તાંત્રિક રસવિદ્યાના વિકાસને ઇતિહાસ ફૂંકામાં જોઈ એ. મહાયાન બૌદ્ધધર્મીની પાંખમાં તત્રમા અને તાંત્રિક ગ્રન્થાના વિકાસ થયા છે એ સામાન્ય અતિહાસિક હકીક્ત છે. 1 જોકે પાછળથી બૌદ્ધ, શાક્ત અને શૈવ એ ત્રણેય માનાં તંત્રો મળે છે, પણ શાક્ત અને શૈવ ઉપર એટલી મહાયાનની અસર થઈ છે એમ જ માનવું. યાગ્ય છે. ધાર્મિક ઇતિહાસની વાત બાજુ ઉપર રાખી રસવિદ્યાના ઇતિહાસને જ જોઈ એ તેા રસવિદ્યામાં નાગાર્જુનના સ્થાનનું મહત્ત્વ જોતાં પણુ મહાયાન બૌદ્ધ અસર નીચે રસતત્રોના વિકાસ થયા છે એમ માનવું યેાગ્ય છે. રસરત્નસમુચ્ચયના આરંભમાં આદિમ, ચન્દ્રસેન વગેરે રસસિદ્ધિપ્રદાયક જે સત્તાવીશ રસસિદ્ધોનાં નામ આપ્યાં છે તેમાં નાગાર્જુનનું નામ છે. વળી, નાગાર્જુનના નામે ચઢેલા સેન્દ્રમ ગલ ગ્રન્થમાં એ યાદીમાંના એ રત્નષ અને માંડવ્યનાં નામ છે. આ રસસિદ્ધ નાગાર્જુનનું વ્યક્તિત્વ તથા તેને નામે ચઢેલા ગ્રન્થાનું કત્વ સંદિગ્ધ હાવા છતાં રસવિદ્યાના પ્રકરણુના આરંભ એનાથી જ કરવા ચાગ્ય છે. જોકે તિબેટની બૌદ્ધ દંતકથા બૌદ્ધ શૂન્યવાદના પુરસ્કર્તા અને માધ્યમકવૃત્તિના કર્તા મહાન નાગાર્જુનને રસશાસ્ત્રમાં પણુ હિસ્ટરી ઑફ હિન્દુ ૧. આ વિષયની વિસ્તૃત ચર્ચા માટે જીએ કેમિસ્ટ્રી,' ગ્ર’. ૨ ઉપાદ્ઘાત.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy