SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ } આયુર્વેદને ઈતિહાસ શતકના પેરેસે સસથી શરૂ થયું છે એમ ત્યાંના એ વિષયના ઇતિહાસ ઉપરથી શ્રી. પ્ર. રાય કહે છે." - સુશ્રુતમાં ચરક કરતાં જે કેટલીક વિશેષતા છે તેમાં શસ્ત્રકમ અને અગ્નિકર્મ પેઠે ક્ષારકર્મ પણ છે એ ઉપર નેપ્યું છે. ક્ષારકર્મ માટે જરૂરી ક્ષાર બનાવવાને વિધિ, પાનીય પ્રતિસારણીય એવા ક્ષારના ભેદે, ક્ષારને દાહક બનાવવાનો વિધિ. એ ક્ષારોને કયા કયા સગોનાં ઉપયોગ શકય છે વગેરે સુશ્રુતમાં વિસ્તારથી આપેલ છે. ૨. ચરક પેઠે સુશ્રુતને પણ બંગ, નાગ, તામ્ર, રૌમ્ય, સુવર્ણ, લોહ અને મંડૂર એટલાની ખબર છે. કાંસાને પણ ઉલ્લેખ છે અને તેને ઉપયોગ કર્યો છે. આ ધાતુઓને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવવાને વિધિ (અયસ્કૃતિ) સુશ્રુતમાં ચરકને મળતો જ છે, પણ એમાં ધાતુઓનાં પતરાંઓ ઉપર લવણ વર્ગને લેપ કરવાનો હોવાથી એ વિધિ ભલે અપૂર્ણ અને અશાસ્ત્રીય હોય છતાં એમાં ધાતુઓના ક્ષારો (melallic salts) બનાવવાના આધુનિક વિધિનું બીજ છે, એમ શ્રી. પ્ર. રાય કહે છે. એ વિદ્વાન કહે છે તેમ પાછળના રસાવાદિમાં થયેલા વિકાસને સુશ્રુતમાં આરંભ દેખાય છે. ખનિજોની બાબતમાં બાકીની ચરકાક્ત વાત તો સુશ્રુતમાં છે જ, ફક્ત પારદ ખાવાની વાત નથી અને એ જોતાં ચરકમાં એ કટકો દહબલનો હાય એવી શંકા પડે છે. સુતે હાદિ ધાતુઓને કૃમિ ઉપર ઉપયોગ કર્યો છે એ નેધવા ગ્ય છે, ૧. “હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી, ગ્રં. ૧, ઉ., પૃ. ૧૦૨. ૨. સુશ્રુત સૂ. અ. ૧૧. ૩. , , ૩૮-૬૩ તથા ઉ. અ. ૧૮, શ્લો, ૧૦૩. ૪. , ચિ. અ. ૧૦–૧૧. ૫. હિસ્ટરી ઓફ હિન્દુ કેમિસ્ટ્રી,” પૃ. ૪૯. : ૬. સુકૃત ઉં, અ. ૧૪, શ્લો. ૩ .
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy