SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રહસ્થળે ચિકિત્સાલિકાના કતી તીસટ વાગભટના પુત્ર હતા એમ ડે. ઓફ્ફટે લખ્યું હોવાની વૈદ્ય જ, ત્રિ. આચાર્યો નેધ કરી છે, પણ તીસટે પોતાના પિતાનું નામ જ લખ્યું નથી; એટલું જ નહિ, પણ ગ્રન્થના આરંભમાં હારીત, સુશ્રત, પરાશર, ભેજ વગેરે ચિકિત્સકોના નામો લખ્યાં છે તેમાંય વાભખ્ખું નામ લખ્યું નથી. વળી, પ્રથમ શ્લેકમાં પિતાના ચરણને નમસ્કાર કર્યા છે ત્યાં ટીકાકાર ચન્દ્ર, જે તીસટના પુત્ર છે, તેણે પણ પિતાના દાદાનું નામ લખ્યું નથી; એટલે એકાદ હાથપ્રતની ઇતિશ્રીર ઉપરથી કરેલું એક્રેટનું કથન વિશ્વાસપાત્ર નહિ માની શકાય. તીસચારસે શ્લેકમાં આ ગ્રન્થ લખે છે. પહેલા ૯૮ ગ્લેમાં આયુર્વેદના ત્રણ દેવ, ધાતુઓ, ભલે, શિરાઓ, ત્રણેય દેષનાં પ્રાપને, દેશે પ્રકુપિત થતાં થતા રેગે, તે તે દેશના પ્રશમનના ઉપાયે, ઔષધના ગુણો, પછી તેલ, ધૃત, ચૂર્ણ, પ્રલેપ, આસ્થાપન, અનુવાસન, નસ્ય, અંજન, બસ્તિ વગેરે યોગને વિધિ ઇત્યાદિ સામાન્ય સૂત્રોનું ટૂંકામાં નિરૂપણ કર્યા પછી વરાદિ રેગની લક્ષણકથનપૂર્વક સંક્ષિપ્ત ચિકિત્સા કહી છે. પણ તેમાં પ્રાચીન પ્રણાલિકાને અનુસરી કાયચિકિત્સા પૂરી કર્યા પછી શાલાય, શલ્ય, ભૂતવિદ્યા, કૌમારતન્ત્ર, રસાયન અને વાજીકરણ એ રીતે વિભાગ પાડીને ચિકિત્સા કહી છે. અલબત્ત, ચારસો શ્લેકમાં “ઓછી વિદ્યાવાળા, જેની બુદ્ધિ સુશ્રુતાદિ શાસ્ત્રસમુદ્રમાં અજ્ઞાનથી મૂંઝાઈ જાય તેવા અબુધ વૈદ્યો માટે આ યોગસમુચ્ચય” રચેલે ૧, જુઓ સટીક ચરકસંહિતા, નિ. પ્રે, આ. ૨., ઉ. પૃ. ૧૩. ૨. શ્રી, હરિશાસ્ત્રી પરાડકર ‘વાભવિમશ” પૃ, ૧૬ માં લખે છે કે ચિકિત્સાલિકાની ભાંડારકર પ્રાચ્ય વિદ્યામંદિરની હાથપ્રતમાં વામાન તીન પત્તતં જિલ્લાનાä એવી ઈતિશ્રી છે. કદાચ એ ઉપરથી કેટે નોંધ કરી હશે.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy