SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જુ ઉપર બને તેટલું વ્યાવહારિક અંકુશ હિન્દુસ્તાનમાં જ જોઈએ; અને એટલું સિદ્ધ કરવું જોઈએ કે અગત્યની સત્તા આપવામાં સંકેચ ન રહે, અને વસતીની મિલકત નિરંકુશ સ્વતંત્રતા અને મિજાજના પવનથી નિર્ભય રહે. રાજ્યનો હક ઉપજના દશમાંથી નવ ભાગ જેટલું ઠરાવ્યો હતો, તે એવી આશાથી કે જમીનદારો પોતાની જાગીર સુધારી દસમા ભાગની કિંમતમાં ધીમે ધીમે વધારો કરી શકશે. બંગાળાના જમીનદારોને હક મિ. શોર નીચે પ્રમાણે સમજ્યા હતા. જમીનદારો જમીનના માલિક છે. તેની માલિકી તેમના ધર્મના ધારા મુજબ વંશપરંપરા ઉતરે છે, અને રાજ્યસત્તાને પણ ઈન્સાફની રૂઇએ કાયદેસર વારસ હોય ત્યાં સુધી તે માલિકી પડાવી લેવાનો અથવા તેમાં કોઈ ફેરફાર કરવાનો અધિકાર નથી. આ મૂળ હકના અંગમાંજ જમીન વેચવાનો અને ઘરેણે મુકવાનો હક સમાયેલો છે, અને આપણને દીવાની મળી તે પહેલાંથી તે લોક તેને ઉપભેગ કરતા આવ્યા છે. અત્યાર સુધી જે નિરંકુશ રાજ્ય પદ્ધતિ ચાલતી હતી તે દરમિઆનું જમીનદારોના આ હકોને પ્રત્યક્ષ ભંગ કર્યા વિના અનેક વિપર્યાસો કરી નાખ્યા હત, પણ સામાન્ય રીતે બેલતાં તે સમયમાં પણ આ હકોના ઉપભોગને વહીવટ છે. અકબરના રાજ્યમાં જમીનદારો આબાદ અને સમૃદ્ધિવાળા હતા, અને જ્યારે તેના અને તેના વારસાના હાથ નીચે જાફરખાનને બંગાળાના અધિકારી નીમ્યા તે વખતે પણ તેઓ (જમીનદારો) વિદ્યમાન હતા. તે પછી એમની સરહદો તેમણે ઘણી વધારી દીધી છે અને જ્યારે અંગ્રેજ આવ્યા ત્યારે તે મુખ્ય જમીનદારે લક્ષ્મી અને આબરૂને સારો દેખાવ આપતા હતા. બંગાળાના દરેક જીલ્લામાં જ્યાં નિરંકુશતાએ નિયમ માત્રને ભંગ નથી કર્યો ત્યાં જમીનની સાથે મામુલી રીત પ્રમાણે લેવાય છે અને કેટલાંક
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy