SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ પ્રકરણ ૭ મું. બધી વહીવટી સત્તા ધીમે ધીમે છેડી દેવી. આ સ્થિતિ એવી ધીમી ધીમી આવવાની કે તેથી પેાતાના લાગતાવળગતાઓને જગાએ આપવાના સ ધમાં ડાઇરેકટરોને ખવાને કાંઇ કારણ નથી પણ આ ધ્યાનમાં રાખવું જોઇએ અને આપણે જે પગલાં લઇએ તે બધાની ગતિ તે તરફ હાવી જોઇએ. ,, એલ્ફિન્સ્ટને આ અભિપ્રાય પેાતાની જીંદગી પર્યંત કાયમ રાખ્યો અને ઉપદેશ્યા. હિં દુસ્તાનમાંથી ઉપરામ લીધાને વીસ વર્ષ થઇ ગયા પછી જ્યારે તે સરેમાં પેાતાના મકાનમાં પેાતાનાં પુસ્તકાના સહવાસમાં શાન્ત અને નિવૃત્તિપરાયણ જીવન ગાળતા હતા તે વખતે પણ તેના પત્રમાં આજ અભિપ્રાયઃ દૃષ્ટિગોચર થાય છે. આ વખતે હિ ંદુસ્તાન સંબધી બાબતમાં તેમને પ્રમાણ ગણવામાં આવતા હતા અને અનેકવાર ગવર્નર-જનરલના અધિકાર ઉપર જવાને તેમને દબાણે કરવામાં આવી ચૂક્યાં હતાં.‘આપણા તેમજ તેમના અને માકીના બધા જગતના સ્વાર્થને લાભ થાય તેવી રીતે દેશી રાજ્ય ચલાવતા ચાય તેટલે સુધીની સ્થિતિમાં તેમને લાવી મૂકવા તરફ આપણે શ્રમ કરવેશ જોઇએ, અને આપણા શ્રમના ફળ તરીકે આ મેટું પરાક્રમ કર્યાનેા યશ અને આપણી કરજ બજાવ્યાનેા સ તાષજ ગણવા જોઇએ”; આ તેમના મત હતેા. પેાતાના રાજ્ય વહીવટ દરમિયાન આ સિદ્ધ કરવા માટે એલ્ફન્સ્ટને એનાથી બન્યું તેટલુ કર્યું હતુ. અને મનાએ મદ્રાસને દાખલા ખેસાડયે હતા તેને લઇને મુંબઇ ઇલાકામાં ન્યાયખાતામાં દેશીઓને માટે ભાગ આપવાને તે શક્તિવાન થયા હતા. એલ્ફિન્સ્ટનના રાજ્ય વહીવટને ત્રીજો અને સહુથી મેટ હેતુ લેકમાં કેળવણીના પ્રચાર કરવાના હતા. આ વખતે મુંબઈ કેળવણીની બાબતમાં સર્વ કરતાં વધારે પછાત હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ધર્મગુરુએ થેાડી ધર્માદાની શાળા ઉપર દેખરેખ રાખતા, અને મિશનરીઓના પ્રયત્ન પણ ૧૮૧૪ માં જે થાડા મિશનરીએ મુંબઇમાં આવેલા તેમના હાથમાંજ સમાઈ રહ્યા હતા.
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy