SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ મુ મદ્રાસને રાજ્યવહીવટ સુસ્થિત કરવામાં જે કામ મન્રાએ કરેલું' તે સુબઇના સંબંધમાં એલ્ફિન્સ્ટને. એલ્ફિન્સ્ટન સત્તર વર્ષની ઉમરે ૧૭૯૬ ની સાલમાં હિંદુસ્તાનમાં આવ્યા હતા. સાત વર્ષ પછી પાછળથી ડયુક એક્ વેલિંગ્ટન તરીકે પ્રસિદ્ધ થયેલા સર આર્થરવેસ્લીના ખાનગી કારભારી તરીકે નાકરી કરવાની તેને તક મળી. સને ૧૮૦૩ માં એસેના યુદ્ધમાં તે ડયુકની તહેનાતમાં હતા. અને નાગપુરના રેસિડન્ટ તરીકે ૧૮૦૪ થી ૧૮૦૮ સુધીમાં તેને મરાઠા કારભારનું રહસ્ય સમજવાના પ્રસંગ મળ્યે હતેા. તે પછી તેને કાબુલ મેાકલવામાં આવ્યા હતા અને તે પ્રસંગમાં ત્યાંના લેાક અને સ ંસ્થાએ સંબંધે એક બહુજ સારૂ પુસ્તક તેણે રચ્યું. ત્યાંથી પાછા આવ્યા પછી ૧૯૧૬ માં તેને પુનાના રેસિડન્ટ તરીકે નીમવામાં આણ્યે. અને ત્યાં જે રાજ્યક્રાન્તિ થઇ તેમાં તેને અગત્યને ભાગ બજાવવાનેા હતેા. ૧૮૧૭ માં આ રાજ્યક્રાન્તિ આવી; છેલ્લા પેશ્વા બાજીરાવને ઉરાડી મૂક્ચે; અને દક્ષિણ બ્રિટિશ હાથમાં સર થયું . ૩૦૪ ચ્યા નવા મુલકના એક્િન્સ્ટનને હેબા અનુભવ હોવાથી તેના વહીવટ સારૂ તે સર્વથી વધારે લાયક હતા. ૧૮૧૮ ના જાન્યુઆરીમાં તેને દક્ષિણના કમીશનર તરીકે નીમ્યા. ૧૮૧૯ માં તે મુંબઇના ગવર્નર નીમાયા. આ અધિકાર તેણે આઠ વર્ષ સુધી ભાગબ્યા અને તે દરમીયાન તેણે પશ્ચિમ હિંદુસ્તાનના બ્રિટિશ વહીવટના પાયેા નાંખ્યા. આ ઉદાર રાજપુરુષ ત્રણ મેાટાં કામેથી પ્રખ્યાત થયા છે. કાયદાના સ ંગ્રહ, તે વખતે જેટલું શક્ય હતુ તેટલે સુધી ભારતવાસીઓને રાજ્યવ્યવ સ્થાના અધીકાર આપ્યા તે, અને લેકેમાં સંગીન ફળવીને પસાર, તે એવા હેતુથી કે ભવિષ્યમાં તેએ પાતાની બાબતમાં વધારે જવાબદારીવાળા ભાગ લઇ શકે, પહેલું કામ તેણે બહુ સારી અને સાષકારક રીતે બજાવ્યું. મુંબઇના
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy