SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ. ૧૫ અને ઇટલીમાં રાષ્ટ્રીય અય અને રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય માટે મેટી હીલચાલેા શરૂ થઇ. સને ૧૮૩૦ માં ગ્રીસ સ્વતંત્ર થયુ. સને ૧૮૩૩ માં ગુલામગિરી નાખુદ થઇ. વહીવટી સુધારા કરવા અને લોક સ્થિતિને સારા પાયા. ઉપર મૂકવી, એ આ યુગનું દૈવત હતુ. તેજ દૈવતે હિન્દના રાજ્યકર્તાઓની રાજ્યનીતિ પશુ મેરી. લાર્ડ હેસ્ટિ’ગ્સે ૧૮૧૭ માં કલકત્તાની હિંદુ કાલેજ સ્થાપી. ૧૮૧૩ માં લોર્ડ એમ્ફર્ટ કલકત્તાના તખ્ત ઉપર આવ્યા. તેમના વખતમાં ૧૮૨૬ માં આસામ, આરાકાન અને તેનાસરીમ ઇંગ્રેજી રાજ્યમાં ઉમેરાયાં. એ વરસ પછી ăાર્ડ એન્ટિન્ક ગવરનર-જનરલ થયા. તેમણે પણ સને ૧૮૩૦ માં કુર્ગને ખાલસા કરીને અને સ્પૈસૂરની રાજ્યપુરા હાથમાં લઇને બ્રિટિશ મુલકના વધારા કર્યાં. પણ આ યુગની વિશેષતા આટલામાં સમાએલી નથી. મન્ના, એલ્ફિન્સ્ટન અને એન્ટિન્કનાં નામેા સાથે જોડાયલા વહીવટી સુધારા એ આ યુગની વિશેષતા છે, વારન હેસ્ટિંગ્સ અને કેાને વાલિસે સ્થાપેલી ન્યાયપદ્ધતિ નિષ્કલ નીવ ડી તેનું કારણ એ હતું કે સ્વદેશીઓને વહીવટીના કામમાંથી ખાતલ કર્યો હતા. ન્યાયનું કામ ચડી ગયું, અને બ્રિટિશ ન્યાયાધીશેાને હાથે થતા વિલંબ ન્યાયના અભાવરૂપ થઈ પડયા. કમ્પનીના મુલકમાં ગુનાએ વધવા માંડવા તેથી બાતમીદારો રાખીને માણસેાની ધરપકડ કરવાની રીત દાખલ કરવામાં આવી; પણ તેનાથી તે અનિષ્ટ વધવા લાગ્યુ. સને ૧૯૧૦માં લૉર્ડ મિન્ટ લખે છે કે ‘ખૂન અને લૂટકાટ ખગાળામાં બધે ઠેકાણે ચાલે છે. ' આ સ્થિતિમાં કમ્પનીના રાજ્યપુરૂષાને વહીવટી કામમાં સ્વદેશીને વધારે ભાગ આપવાની જરૂર સમજાઈ. કલકત્તાના જજ્જ સર હેત્રિ સ્ટ્રેચિ લખે છે કે ‘હિંદ જેવા સુધરેલા અને ùાળી વસતિવાળા મુલકમાં સ્વદેશી દ્નારાજ ન્યાય સારી રીતે આપી શકાય.’ , આ ધારણને અમલમાં મૂકનાર હિંદમાં પહેલા અંગ્રેજ ઢૉમસ મના હતા. તેણે 'પ્રજામાં વિશ્વાસ રાખવાની રીતિ અંગીકાર કરી, તે ૧૭૮૦ માં
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy