SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૪૧ ઉત્તર ભાગમાં જ્યાં જમાબન્દીનો બંદોબસ્ત સહુથી સારી રીતે થયું છે ત્યાં, આખા દેશમાં કોઈ ઠેકાણે જોવામાં આવતી નથી, એવી આબાદી દષ્ટિગોચર થાય છે.” આ છેલ્લી વિનંતિ પણ નકામી ગઈ. રૈયતવારી પદ્ધતિને મૂળ પ્રણેતા સર મસ મને મદ્રાસને ગવર્નર થઈને ત્રીજી વારો આવ્યો, અને જે જમીનદાર અને પાળેગારો સાથે જમીનદારી પદ્ધતિથી જમાબન્દીના ઠરાવો થઈ ચૂક્યા હતા, તેમના સિવાય આખા ઈલાકામાં છેવટને માટે રૈયતવારી પદ્ધતિ સ્વીકારાઈ. એક સૈકા પછી આ ચર્ચા ઉપર આપણે જોઈએ છીએ, ત્યારે આપણને શોક થાય છે. સરટમસ મનાના શીલ સ્વરૂપને માટે આપણને ગમે તેટલું ભાન હોય પણ આ બાબતમાં તે મહેસુલસભાને અભિપ્રાય ખરો હતો. દેશની પ્રાચીન સંસ્થાઓ જ્યાં સુધી નવીન સુધારાને પ્રતિકૂલ ન હોય ત્યાંસુધી તેમને ઉખેડી નાંખવામાં નહિ પણ પાળવામાં અને સુધારવામાં જ સરકારનું ડહાપણ રહેલું છે. અને એમાં કંઈ શક નથી કે હિંદુસ્તાનના ગામડાંઓની આંતર વ્યવસ્થા તહસીલદાર, શિરસ્તદાર અને પોલીસ રાખી શકે તેના કરતાં વધારે ફતેહમિન્દીથી અને પિતાને વધારે સંતોષ થાય તેવી રીતે ગામડાના લેક પિતાની મેળે જ રાખી શકે; અને જ્યાં બની શકે તેવું હોય ત્યાં પિતાનો કારભાર પિતાને હાથે ચલાવવા દેવામાં આખી માનવજાતિને લાભ છે. જો મનાએ બારામહાલ કાનડા અને નવા જીલ્લાઓમાં ગ્રામસંસ્થાઓ ચાલતી જોઈ હતી તે તે પોતે જ તેનો મોટો વકીલ થાત, પણ આ છલાઓમાં ખેડુતે સાથે પરબારી જમાબન્દી ઠરાવીને, મદ્રાસ સરકારમાં અને હાઊસ ઑફ કોમન્સમાં એ જ પદ્ધતિની હિમાયત કર્યા પછી, કમ્પનીના અધિષ્ઠાતાઓ પાસે મદ્રાસ ઇલાકાના આકાર્યા વિનાના તમામ ભાગોમાં એજ પદ્ધતિ મંજૂર કરાવ્યા પછી, તે પોતાનો અભિપ્રાય બદલવાને અને ૧૮૧૨ થી ૧૮૧૮ દરમિયાન મહેસુલસભાએ સાચવી રાખેલી ગ્રામસંસ્થાઓ દ્વારા જમીનની મહેસુલના વધારે ઈચ્છવા લાયક વહીવટની યોગ્ય કિંમત કરવાને, અશક્ત
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy