SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ - અવશ્ય દુઃખીદુખી થઈ જાય, કારણ તેઓ બીજે ધંધે કરી ન શકે. તેથી મારે અભિપ્રાય એ છે કે ગણતને દિશાસૂચક તરીકે ગણવાં, આકારણીના કુલ આધાર તરીકે નહિ. આ જ સિદ્ધાંતને અનુસરીને આજ સુધીની બધી નવેસર મહેસૂલ આકારણુઓ થઈ છે, અને એમાં ફેરફાર કરી ન ચીલે શા સારુ પાડવે એને સારુ હું કશું કારણ જોઈ શકતાં નથી. આકારણ અમલદારને તેનું કામ કરવાને - જે નિયમો ઘડી આપવામાં આવેલા છે તે જ ચાલુ રહેવા જોઈએ.” - હવે એક જ વધુ ઉતારે હું ટાંકીશ, અને તે તમારે પિતાને. તમે - ખેડા જિલ્લાના કલેકટર તરીકે અભિપ્રાય આપેલ : ' “જમીનનાં ગત એ મહેસૂલઆકારણી ઠરાવવાના કામને સારુ પૂરતો આધાર નથી. ઓછામાં ઓછું હિંદુસ્તાનના આ ભાગમાં તે નર્યા આર્થિક કારણોને આધારે ગણોત નક્કી થતાં નથી. વસ્તી ગીચ હોય ત્યાં - જમીન માટે હરીફાઈ ચાલે છે. એવી હરીફાઈમાં ઘણીવાર ખેડૂતે કિંમત કરતાં વધુ આપે છે. જે એમ પૂછતા હો કે તો પછી એ લોકે ગુજારે કેમ કરતા હશે, તો એનો જવાબ એ છે કે મોસમ વીત્યે નવરાશના દિવસેમાં એ લોકો દોડીદપાટી કરે છે, બળદ અને ગાડાની મદદથી ભાડાં કરે છે, ઢેર રાખી ધીદૂધ વેચે છે વગેરે. જમીનમાં ખાતર નંખાયું હોય, મહેનત કરી સુધારી હેય, કુવા હેય, ઈત્યાદિ કારણોથી જમીન જમીનની કિંમતમાં ફેર પડે છે. ઘણી જગ્યાઓએ ખેડૂતો ચોકસ ભાવના અગર લાગણીઓને વશ વર્તીને પણ પોતાની જમીનને વળગી રહે છે, અને “આર્થિક દૃષ્ટિએ તેના તે પગલાને કઈ રીતે બચાવ થઈ શકે તેવું હતું નથી. તેથી એમ સૂચવું છું કે ગણોત સિવાય બીજે જ કંઈક આધાર - શેાધવા એ વધુ વાજબી છે.” * આ બધાં કથને સરકારને દફતરે પડેલાં છતાં ભવિષ્યમાં મહેસૂલ- આકારણના એકમાત્ર આધાર તરીકે ગણોતના દરે સરકાર સ્વીકારશે એવી અપેક્ષાથી સેટલમેંટ કમિશનરે ગ્રહણ કરેલી આ અવનવી રીત વિષે • મે સાવ અજ્ઞાન બતાવે છે એ જોઈ હું ભારે નવાઈ પામું છું. મારું નિવેદન છે કે બારડોલી તાલુકાના ગણોતપટાએ, જેમના ઉપર સેટલમેંટ - કમિશનરે પિતાની ગણતરીઓ બાંધી છે તેમાં ઘણે મેટે ભાગ ઉપર ટાંકેલા ઉતારાઓમાં વર્ણવ્યા છે તેવા એટલે આધાર માટે ગણતરીમાં ન - લઈ શકાય તેવા પ્રકારના છે. ૬. સેટલમેંટ અમલદારની તેમજ સેટલમેન્ટ કમિશનરની ભલામણોને સરકારે જે હળવી કરી છે તેમાં પણ સરકાર ખેડૂતોને ન્યાય આપવાની ૩૬૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy