SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ લડત કેમ મંડાઈ? હુકમની છ મહિનાની નોટિસ મળ્યા વિના ચાલુ વર્ષમાં વધારેલા દરને અમલ કરી શકાય નહિ. આવી છ મહિનાની નોટિસની બાબતમાં કોઈ જાતનો કાયદો કે વહીવટી હુકમ હોવાનું ગવર્નર અને તેની કાઉન્સિલ. જાણતા નથી, અને તમે શેનો ઉલ્લેખ કરે છે તે તેને સમજી શકતા નથી. બહારનાએ” ૭. છેવટમાં હું એટલું જણાવું છું કે પિતાના અમલદારેએ સૂચવેલા દરે કરતાં ઓછા દરે સરકારે ઠરાવ્યા છે, ખેડૂતે ઉપર કઈ જાતની હાડમારી ન પડે તેની ખાસ કાળજી રાખીને જ તે પ્રમાણે સરકારે કરેલું છે, અને હવે નવી આકારણ પ્રમાણે વસૂલ લેવાનું મુલતવી રાખવા. અથવા આકારણીને ફરી વિચાર કરવા, અથવા બીજી કોઈ પણ જાતની રાહત આપવા સરકાર તૈયાર નથી. આ પ્રમાણે જાહેર કરવા છતાં બારડોલીના લેકે પોતાની જ બુદ્ધિએ ચાલીને અથવા બહારનાઓની. શિખવણને વશ થઈને, મહેસૂલ ભરવામાં કસૂર કરશે તો તેંડ રેવન્યુ. કોડ અનુસાર જે પગલાં લેવાં જોઈશે તે લેતાં ગવર્નર અને તેની કાઉન્સિલને જરા પણ સંકોચ નહિ થાય, અને તેને પરિણામે નહિ ભરનારાઓને ખસૂસ જે નુક્સાનમાં ઊતરવું પડશે તેને માટે પોતે જવાબદાર નહિ રહે. તમારે સેવક, જે. ડબલ્યુ. સ્મિથ મંત્રી, મુંબઈ સરકાર જમીનમહેસૂલખાતું વલ્લભભાઈને રદિયે. શ્રી. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ તરફથી જે. ડબલ્યુ. સ્મિથ એસ્કવાયર, આઈ. સી. એસ. મુંબઈ સરકારના રેવન્યુ ખાતાના મંત્રી જેગ અમદાવાદ તા. ૨૧-૨-૧૯૨૮ સાહેબ, મારા તા. ૬ ઠ્ઠી જાનેવારીના કાગળના જવાબમાં તમારે તા. ૧૬મીને લખેલે લંબાણુ વીગતભર્યો કાગળ મળે. તે માટે હું તમારે આભારી છું. તમે ઉઠાવેલા જુદા જુદા મુદ્દાઓને હું ક્રમવાર જવાબ આપીશ. ૨. ગઈ ૧૨ મી તારીખે બારડેલી તાલુકાના લોકોને જમીન મહેસૂલ ભરવા ના પાડવાની સલાહ આપવામાં મેં જે વલણ અખત્યાર કીધું તેને તમે કાઢેલો અર્થ જોઈ હું વિસ્મય પામ્યું છે. તા. ૪થીએ જ લકે ૩પ૯ :
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy