SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આરડોલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ . . શેઠ જમનાલાલ બજાજ પિતાને બારડોલીના યાત્રાળુઓમાં ગણીને ધન્ય માનવા લાગ્યા, અને અનેક સભાઓમાં તેમણે કહ્યું, હું તે બારડોલીને યજ્ઞ જેઈને પુનિત થવા આવ્યો છું. મહારાષ્ટ્રથી શ્રી. જોષી અને પાટસ્કર તટસ્થભાવે બધું જોવા આવ્યા. ગાંધીજી, કે અસહકારની સાથે તેમને ઝાઝું લાગતુંવળગતું નહતું, પણ ખેડૂતોને માટે ઉપાડેલી લડત જવાને, અને સત્યાગ્રહ કેવી રીતે ચલાવાય છે તે જોવાને તેમને રસ હતો. બારડોલીથી પાછા વળતાં શ્રી. જોષીએ એક અંગ્રેજ કવિનું પ્રસિદ્ધ વચન ટાંકીને કહ્યું, “ઠેકડી કરવા આવ્યા હતા પણ સ્તુતિ કરતા જઈએ છીએ.” આમ આ બધા મંત્રમુગ્ધ શા સાર થઈ જતા હતા? આ અપૂર્વ લડત છે, બારડોલી ધર્મક્ષેત્ર છે એમ સૌ એકેઅવાજે કેમ પોકારતા હતા ? અનેક વસ્તુઓ હતી. તાલુકામાં સરકારી રાજ્ય રહ્યું નહોતું અને જુદી જ સરકારનું રાજ્ય ચાલતું હતું એ સા કેઈને ભાસતું હતું. લડત રાજ્ય સામે નહોતી પણ રાજ્યના સ્થાનિક પ્રતિનિધિઓની સાથેના અસહકારમાંથી આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. સરકારના માણસોને કોઈ સગવડ જોઈએ તો તે બારડોલીના થાણામાં પૂછવા આવે; સરકારને પિતાના તારટપાલ મારફતે સંદેશા પહોંચે તેના કરતાં વધારે જલદી સરદારને પિતાનાં માણસો મારફતે સંદેશા પહોંચે. લોકે કારાગ્રહવાસ ભોગવી સરકારથી આમ સ્વતંત્ર થઈને બેઠા હતા, પણ બારડેલીનાં સવાસો ગામોમાં ભાગ્યે જ કોઈ એવું હોય કે જેને બીજા ગામમાં શું બનતું હતું તેની ખબર ન હેય. ગામનું એ સંગઠન પણ બહારથી આવનારાઓને આશ્ચર્ય પમાડે એવું હતું. સત્યાગ્રહીઓમાંથી કેટલાક – સેંકડે એક ટકે. જેટલા – પડ્યા હતા ખરા, પણ ઢગલાબંધ ગામે એવા અભેદ્ય દુર્ગ સમાં હતાં કે જેમાંથી એક કાંકરી પણ ખરી નહતી. ઇસરેલી ગામે દરેકેદરેક ખાતેદારને ખાલસાની નેટિસ મળી હતી. તાલુકાનાં ચાર ગામમાં સરકારે વધારે કર્યો નહોતે તેમાંનું ૧૫૪
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy