SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ પ્રકરણ પિતાનાં પશુઓને બાળકોનાં જેટલાં પ્યારાં માનનારા ખેડૂતોથી આ બધું સાંખી શકાય એમ નહોતું. ગમે તેમ થાય તોપણ ભેંસોને આવી રીતે રિબાવા ન દેવી એ નિશ્ચયથી આખા તાલુકા કારાગ્રહ બનવાનો નિર્ણય કર્યો. રાતદિવસ બારણું બંધ, ઘરમાં માણસો અને ઢોરો સદંતર કેદ. ઢોરને માટે પાણું પણ ઘેર લાવીને પાવામાં આવે. જેમનાં સગાંવહાલાં ગાયકવાડીમાં હતાં તેમણે ગાયકવાડીમાં પિતાનાં ઢોર મોકલ્યાં, છોકરાને દૂધ છાશ પીતાં બંધ - ર્યા. પણ બધાં ઠેર કાંઈ એમ મોકલી શકાય? એટલે સૌએ કારાગ્રહવાસ પસંદ કર્યો. જતીદારોની જુહાકી આગળ ખાતેદાર બિનખાતેદાર સરખા હતા, માલિક બિનમાલિક સરખા હતા, ઘરમાં પુરુષ હોય કે ન હોય તે પણ તેમને સરખું હતું ! - એક ગરીબ દરજીની ત્રણ ભેંસો પકડવામાં આવી હતી. તે ખાતેદાર નહોતો. સવારના પહોરમાં ઊઠીને જુએ તે ભેંસે ન મળે. બે દિવસ પછી તેને ખબર પડી કે વાલોડ થાણામાં એ ભેંસને બીજી ભેંસો સાથે ગોંધવામાં આવી હતી. મહાલકરીની પાસે તે ભેંસે છેડવવા ગયા. મહાલકરી કહેઃ “તમારી ભેંસોને બે દિવસ અમારે રાખવી પડી છે, અને ઘાસચારો કરવો પડ્યો છે, એને ખરચ આપે અને ભેંસે છેડવી લઈ જાઓ.” પેલો કહેઃ “આ તો ઊલટો ન્યાય. તમે મને નુકસાનીનો બદલો આપ કે ઊલટે મને દંડ ?'' પેલાએ ન સાંભળ્યું. દરજીએ કહ્યું: “વાર સાહેબ, પિલા ધળી ટોપીવાળા સ્વયંસેવકને પૂછીને આપને જણાવીશ કે શું કરવું.” મહાલકરી સાહેબ પસ્તાયા; અને પેલાને ભેંસ છોડી જવા દીધી. આ તો ઘણામાંને એક દાખલો. આ રહ્યા બીજે નમૂને. મોટાની સતામણ સહેજે થાય નહિ એટલે ગરીબને રંજાડવાનો રસ્તે કેટલેક ઠેકાણે પસંદ કરવામાં આવતા હતા. એક કુંભારનું ઘર ખુલ્લું જોઈને મહાલકરી એકદમ પઠા, ઘરના રાચરચીલામાંથી કેટલીક ચીજો ઉપાડવાનો હુકમ આપે. ઘરધણિયાણી પ્રેમીને આ લીલાનું રહસ્ય ૧૨૦
SR No.032686
Book TitleBardoli Satyagrahno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahadev Haribhai Desai
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1929
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy