SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૪૭ અગાઉથી આવી બધી બાબતો પ્રત્યે દીર્ઘદૃષ્ટિથી ધ્યાન રાખવું જોઈએ. પેશાબ કરનારાને ખુલ્લાં આકાશ વચ્ચે થઈને જો જવાનું હોય તો, માથે ગરમ કામળી ઓઢવી જોઈએ, તે ન હોય તો છેવટે વધારાનું કંઈ કટાસણું પણ માથે નાંખીને જ જવું જોઈએ. પણ ઉઘાડા માથે ખુલ્લા આકાશમાં જવાનું હોતું નથી, જાય તો દોષ લાગે છે. ઘણીવાર નાના છોકરાંઓની સેના હજુ ૧૫-૨૦ મિનિટ પ્રતિક્રમણ ન ચાલ્યું હોય ત્યાં બધા વચ્ચે આડા ઉતરી પેશાબ કરવા દોડી જાય છે પણ મોટાઓએ અગાઉથી જ સૂચના આપી દેવી જોઈએ કે પહેલેથી એ ક્રિયા પતાવી આવે. ઘણીવાર ગમ્મત ખાતર, ટીખલ ખાતર, દેખાદેખીથી, વગર શંકાએ પણ બાળકો અજ્ઞાનભાવે આવું કરતા હોય છે. પણ તેમના માબાપોએ તેમને ઘરેથી જ પ્રતિક્રમણ અંગે સૂચના-શિક્ષણ આપી દેવું જોઈએ જેથી પ્રતિક્રમણમાં ડોળાણ ઊભું થાય નહિ, તેમજ બધાયને આડ પડે નહિ. –બાળકોને જૂથમાં ન બેસાડવા અને વાતો કે ગરબડ ન કરે માટે અવસરે તેના ઉપર કોઈએ નજર રાખ્યા કરવી. it –ભીંતને ટેકો કે ઓટિંગણ લઈને પ્રમાદી કે મડદાલ જેવા થઈને ન બેસવું.
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy