SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ ચિત્રો સહ સરલ પ્રતિક્રમણમાં અનિવાર્ય ઉપયોગી સાધનો અને સૂચનો ૩૬ સૂચના :–પ્રતિક્રમણમાં વાપરવાનાં જરૂરી વસ્રો તથા જરૂરી ધર્મસાધનોની વ્યવસ્થા પર્વનું આગમન થતાં પહેલાં જ કરી લેવી જોઈએ. ચિત્તની પ્રસન્નતા અને ભાવોલ્લાસમાં, સાધનોની શુદ્ધિ પણ એક કારણ છે, માટે સાધનો—ઉપકરણો ગંદા, મેલાં ન હોવાં જોઈએ. કટાસણું, મુહપત્તી, ચરવલો વગેરે યથાશક્તિ સારાં, અખંડ અને સ્વચ્છ હોવાં જોઈએ. આત્મ સાધનામાં ઉપકારી તે ઉપકરણ ધર્મભાવનાની વૃદ્ધિ કરે તેવાં સાધનોને ઉપકરણ કહેવાય છે. આ ઉપકરણો ધર્મભાવનાનાં પ્રતીકરૂપ ગણાય છે. સંવચ્છરી પ્રતિક્રમણમાં શ્રાવકને ચાર પ્રકારનાં ઉપકરણોની અનિવાર્ય જરૂર પડે છે. ૧. સ્થાપનાજી કે સ્થાપનાચાર્યજી, ૨. કટાસણું, ૩. મુહપત્તી, અને ૪. ચરવળો. આ ચાર વસ્તુઓની પ્રતિક્રમણમાં અવશ્ય જરૂર પડે છે. પુરુષોને ચરવળો ગોળ દાંડીનો વાપરવાનો અને સ્ત્રીઓને ચોરસ દાંડીનો વાપરવાનો છે. સ્થાપના—નવકાર, પંચિંદિય સૂત્ર જેમાં હોય તે, તે ન હોય તો જૈનધર્મને લગતાં સૂત્રો હોય તેવી અથવા સ્તવનાદિકની ચોપડીની પણ કરી શકાય છે. આ સ્થાપના બાજોઠી ઉપર સાપડો મૂકીને કરવી, તેમ ન બને તો ઊંચી રહે તે રીતે વ્યવસ્થા કરવી. કટાસણું–કાણાં (વેન્ટીલેશન) વિનાનું, ફાટેલું ન હોય તેવું, સુતરાઉ નહીં પણ ઊનનું હોવું જોઈએ અને સારી રીતે બેસી શકાય તેવા માપનું રાખવું. મુહપત્તી–સામાન્ય રીતે એક વેંત અને ચાર આંગળની રાખવાની છે,
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy