SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ - ( સંવછરી પ્રતિક્રમણ વિધિ ૨૭ ) ) દેવ પછીનું સ્થાન ગુરુનું છે એટલે હવે ગુરુવંદનાદિ કરવું જોઈએ. એ માટે બે વાંદણાંનો વિધિ કરાય છે. વંદણ આવશ્યક તે ત્રીજા આવશ્યકની મુહપત્તી પડિલેહ્યા પછી જે “સુગુરુવંદન’નો બે વાર પાઠ બોલીએ છીએ તે સમજવું. ગુરુ એટલે જે ધર્મના જાણકાર, ધર્માચરણનું પાલન કરનાર, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિ મહાવ્રતોનું અને ત્યાગમાર્ગનું પાલન કરનાર હોય તે ગુરુ કહેવાય. આવા નિઃસ્પૃહી ગુરુઓ આત્મકલ્યાણનો સાચો માર્ગ બતાવે છે. સજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે માટે એવા ગુણસંપન ગુરુઓને વંદન કરવું એ શિષ્યનું-શ્રાવકોનું કર્તવ્ય છે. ધર્મગુરુઓને વંદન કરવાથી વિનય-નમ્રતા ધર્મનું પાલન થાય છે અને આ વિનયગુણ પરંપરાએ આ જીવને મુક્તિ સુધી પહોંચાડે છે. આવા ગુરુની આજ્ઞાનું પાલન, તેમનું બહુમાન, આદર કરવો એ ઉત્તમ ધર્મ છે. ઉપકારક અને ગુણસંપન ગુરુઓની આશાતના થાય તો ઘણું પાપ લાગે છે માટે તેથી બચવું જોઈએ. ગુરુ આગળ અભિમાન ન આવી જાય અને તેમના માટે અપરાધ, અવિનય કે અપ્રશસ્ત વિચારો ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. એમ છતાં કર્માધીન આવી જાય તો બધાયની સાચા ભાવથી ક્ષમા માગી લેવી જોઈએ. ગુરુવંદન માટે “સુગુરુવંદનસૂત્ર' બોલવાનું છે, જે પ્રતિક્રમણમાં અનેકવાર આવે છે. ગુરુવંદન કેમ કરવું તેની વિશેષ માહિતી આ પુસ્તકમાં પ્રારંભમાં આપી છે તે જોઈ લેવી. ૪. ચોથું પડિક્કમણું આવશ્યક–આ આવશ્યક એ વંદિત્તા સૂત્રની આરાધનારૂપ સમજવું. પ્રતિક્રમણનો ટૂંકો અર્થ સ્વભાવદશામાંથી વિભાવદશામાં ગયેલા આત્માને પાછો સ્વભાવદશામાં સ્થાપન કરવો તે. એટલે કે અસમાર્ગ–અતિક્રમણ કરી ગયેલા આત્માને પ્રતિક્રમણ (પડિકમણાં) દ્વારા મૂલ સ્થાને લાવવો તે. પડિક્કમણું એટલે અતિક્રમણનું પ્રતિક્રમણ, પાપથી પાછા હઠવાની ક્રિયા દર્શાવતાં સૂત્રો દ્વારા ક્ષણે ક્ષણે મન, વચન, કાયાથી થતાં પાપો-દોષોની
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy