________________
શ્રી પાર્શ્વ-સ્તવના
750
ભક્ત-જન કી, પૂર્ણ કરતે કામના ।
જો સદા હી ઉન્હેલ કે વાસી પ્રભુજી, દૂર કરીયે વાસના ।। હે જિનેશ્વર । દાસકા, મઝધાર મૈં કર થામના । ઐસે ‘શ્રી કામિતપૂરણ પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના | ઈચ્છાપૂર્તિ સહુની કરતાં પણ શુભ ઈચ્છા હોવી ઘટે, કામિત પૂરણ ચિંતા ચૂરણ સેવકની તો ચિંતા મટે, મોક્ષની છે. કામના મુજ ભાવના સહુ પૂરી કરો, ‘કામિતપૂરણ’ પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા.
પ્રાયઃ બે હજાર વર્ષ પ્રાચીન આ પ્રતિમાજી ભક્તના કામિત અર્થોની પૂર્તિ કરતાં હોવાથી કામિતપૂરણના નામથી આ પાર્શ્વનાથ પ્રભુ ઓળખાય છે.
કામિત પૂરો સહુ લોકનાં કામિતપૂરણ પ્રભુ પાસજી, ધોર છે કામના મુજ કામને દૂરે કરો હે નાથજી, છે કામ તારું ભક્તજનની પૂરી કરવી કામના, ‘કામિત પૂરણ’ પ્રભુ પાર્શ્વને ભાવે કરૂં હું વંદના.
શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહારમાં બિરાજમાન શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ
ભારતવર્ષમાં જૈન ધર્મનો વિજયધ્વજ અતિ પ્રાચીન કાળથી લહેરાઈ રહ્યો છે. જૈનો વ્યવહાર કુશળ, ધર્મવત્સલ, અને કલાપ્રેમી રહ્યાં છે. ભારતમાં ધર્મપ્રિય શ્રેષ્ઠીઓએ પ્રભુભક્તિ માટે ઠેરઠેર જિનાલયોના ભવ્ય નિર્માણો કરાવીને તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોની દૈદીપ્યમાન, પરમ પ્રભાવક પ્રતિમાજીઓ બિરાજમાન કરાવી છે. આજે પણ પ્રાચીન જિનાલયો ભૂતકાળના દિવ્ય સંભારણાની માફક
શ્રી કામિતપૂરણ પાર્શ્વનાથ
૬૩