SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ તેવી રીતે વીરના ભાવમાં પણ ધર્મી અને ભક્તજનોને પોતાના કર્માનુસારે સહાય કરે છે. - પૂર્વભવમાં તેઓ હાથમાં ધનુષ-બાણ, ખડગ આદિ રાખતા તેથી મૂર્તિના હાથમાં ધનુષ બાણ, આદિ રાખવામાં આવે છે. જેમ રાજાને સર્વ લોકો માને છે તેમ શ્રી ઘંટાકર્ણ વીરને સર્વ ધર્મવાળા લોકો માને છે. ઉપાધ્યાય સકલચંદજી મહારાજે પ્રતિષ્ઠાકલ્પ બનાવ્યો છે તેમાં તેઓશ્રીએ ઘંટાકર્ણ મંત્રને ગ્રહણ કરેલ છે. પ્રતિષ્ઠિત મંત્રકલ્પમાં ઘંટાકર્ણ વીરની મંત્રયંત્રવાળી થાળી સુખડી સાથે ધરાવવાની પ્રથા આજે પણ પ્રવર્તે છે. કેટલાક યતિઓએ ઘંટાકર્ણ વીરના મંત્રથી સર્પ અને વીંછીના ઝેર પાંચ દસ હાથ છેટે રહીને ઊતાર્યા છે. અને ચોથીયો તાવ ઉતાર્યો છે. હિમાલયના ઉત્તેગશિખરો વચ્ચે આવેલા પવિત્ર બદ્રિનારાયણ જતાં ઉત્તર જયોતિર્મઠથી અઢારમાઈલ પર પાંડુકેસર નામનું એક ગામ આવેલું છે. ગામના હાઈવે પર ઘંટાકર્ણનું મંદિર છે. તેઓની દૃઢ માન્યતા છે કે ઘંટાકર્ણવીર બદ્રિનારાયણ ભગવાનની ચોકી કરે છે. બદ્રિનારાયણ મંદિરમાં પ્રવેશ કરતાં જમણી બાજુ એ ઘંટાકર્ણવીરની મૂર્તિ છે. આ મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી હરિભદ્ર સૂરિશ્વરજી મહારાજના શિષ્ય આ. શ્રી રત્નહર્ષ સૂરિશ્વરજી મહારાજાએ કરી છે. બદ્રિનારાયણની મૂર્તિ વાસ્તવમાં પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર દાદાની હોવાનું માનવામાં આવે છે. ઋષભદેવ ભગવાને લોન્ચ કર્યો ત્યારે એક લટ ખભા પર રહી ગઈ ત્યારે ઈન્દ્રોએ કહેલું કે ભગવાન આટલી લટ રહેવા દો. આમ એ પ્રકારની લટવાળી આદીશ્વરની મૂર્તિ છે. તેના જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૧ માં દર્શન વિજય ત્રિપુટી મહારાજે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. શ્રી ઘંટાકર્ણવીર તીર લઈને ઉભેલા જોઈને પ્રશ્ન થાય છે કે જૈન ધર્મનો પાયો અહિંસા છે. જે ધર્મ મન, વચન, વાણી અને વર્તનમાં પણ અહિંસાના શ્રી ઘંટાર્ણવીર ૨૫૯
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy