SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ જાણકારી વર્તમાનમાં ભાણવડ કે જામ ભાણવડના નામથી ઓળખાતું આ તીર્થ પ્રાચીન ગ્રંથોમાં ‘ભાનુવડ ગ્રામ” નામથી ઓળખવામાં આવ્યું છે. આ ભાણવડ તીર્થમંડન શ્રી પાર્શ્વનાથ અત્યંત પ્રભાવશાળી છે. ચાંપશી નામના શ્રેષ્ઠીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના આ ભવ્ય જિનપ્રાસાદનું નિર્માણ કરાવ્યું. આ નવનિર્મિત જિન પ્રાસાદમાં આ. ભગવંત શ્રી જિનરાજસૂરિશ્વરજી મહારાજના વરદ હસ્તે વિક્રમ સંવત ૧૬૬૨ના ફાગણ સુદ-૨ ના દિવસે શ્રી અમૃતઝરા પાર્શ્વનાથને શાહ ધારશી રાજશી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. ત્યારે ત્યાં કુલ ૮૦ જિનબિંબોની પ્રતિષ્ઠા થયેલ (સંકલિત) શ્રી પાર્શ્વ સ્તવના ગામ ભાણવડ વાસ હૈ પ્રભુ ! આપ તારણહાર હૈ | અમૃત પ્રભુ મુખ સે ઝરે, જો નાથ પ૨ ઉદાર હૈ || જિનકી નહિ હૈ જોડ કોઈ, મહિમા અનન્ત અપાર હૈ | ઐસે “શ્રી અમૃતઝરા પાર્શ્વ' કો મૈં, ભાવસે કરૂં વંદના // સ્વપ્ન જેવું જીવન અમારું, સ્વપ્ન આપી જગાડજે, જામ ભાણવડ ગામે રહીને, જામ અમૃતના આપજે, અમૃતઝરા છે નામ તારું, દર્શનામૃત પીવડાવજે, “અમૃતઝરા” પારસના ચરણમાં તન મન ધન અર્પણ સદા. ભક્તોને વારંવાર સ્વપ્નમાં દર્શન આપીને પ્રભાવનો પરિચય કરાવે છે. શ્રી અમૃતઝરા પાર્શ્વનાથ ૧૦૫
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy