SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ગયું. આ નગરી સૈકાઓ સુધી માનસપટ પરથી ભૂંસાઈ ગઈ. હાલ ભદ્રાવતીમાં બિરાજમાન શ્રી કેસરિયાજી પાર્શ્વનાથની પ્રાચીનતા શોધવાનો કોઈ આધાર નથી, પરંતુ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથની સમકાલીન આ પ્રતિમાજી હોવાનું અનુમાન કરવામાં આવે છે. એટલું ચોક્કસ કે પ્રાચીનકાળમાં આ તીર્થની સુખ્યાતિ ટોચ પર હતી. | વિક્રમ સંવત ૨૦ શતાબ્દીમાં આ તીર્થ પ્રકાશમાં આવ્યું. આ તીર્થનાપુનઃ પ્રાગટ્યની કથા પણ રસપ્રદ છે. વિક્રમ સંવત ૧૯૬૬ના મહાસુદ ૫ ના દિવસની રાત્રે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થના મુનિમ તરીકે એ સમયે કાર્યરત ચત્રભૂજભાઈને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેમને કંઈક વિચિત્ર દેશ્ય જોવા મળ્યું. ચત્રભુજભાઈએ સ્વપ્નમાં જંગલની અંદર પોતાની પાછળ એક કાળા નાગને પાછળ પડતો જોયો. તેઓ નિર્ભય બનીને ઊભા રહી ગયા, ત્યારે કાળા નાગે તેમને પશ્ચિમાભિમુખ જિનાલયમાં કેસરિયા વર્ણના શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીના દર્શન કરાવ્યાં. કાળા નાગે માનવવાણીમાં ચત્રભુજભાઈને શ્રી કેસરિયા પાર્શ્વનાથ પ્રભુના કાળની ગર્તામાં વિલીન થઈ ગયેલા પ્રાચીન ભદ્રાવતી તીર્થનો જીર્ણોધ્ધાર કરવા જણાવ્યું. આ તરફ ચત્રભુજભાઈ મુનિમ શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય અને દર્શનીય પ્રતિમા જોઈને અત્યંત હર્ષાન્વિત બન્યા. તે સમયે ચાંદા(ચંદ્રપુરા) ગામમાં મુનિશ્રી સુમતિસાગરજી મહારાજ બિરાજેલા હતા. ચત્રભુજભાઈએ બીજે દિવસે સવારે મુનિરાજને આવેલા દિવ્ય સ્વપ્નનો સંપૂર્ણ વૃતાંત કહી સંભળાવ્યો.. અને પછી આ સ્થળ અને પ્રતિમાજીની શોધખોળનું કાર્ય આરંભાયું. એક જીર્ણ થઈ ગયેલા જિનાલયમાં અડધી દટાયેલી અવસ્થામાં આ પ્રતિમાજી સ્વપ્ન સંકેત પ્રમાણે મળી આવી. એ વખતે ત્યાંના ગ્રામવાસીઓ પ્રતિમાજીની સિંદૂરની પૂજા કરતાં અને ‘કેસરિયા બાબા તરીકે પૂજતા હતા. શ્રી સરિયા પાર્શ્વનાથ
SR No.032666
Book Title108 Parshwanath Tirth Samput Part 03
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy