SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય તથા પરમ આનંદની અનુભૂતિ થવા લાગે એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનના (૧૦૮) એકસોને આઠ તીર્થોની આરાધનાદર્શન-જાપ-ધ્યાન-સાધના-ઉપાસના દરેક જીવો એક સાથે કરી શકે માટે જ મારા જીવનના રાહબર અને અસીમ અનંત ઉપકારી ભવોદધિતારક એવા મારા વ્હાલા ગુરૂદેવે આ શંખેશ્વરજી તીર્થમાં એકસો આઠ તીર્થ સ્વરૂપી તીર્થની સ્થાપના કરી સાથે સાથે પૂ. ગુરૂદેવશ્રીના સંસારીપક્ષે વડીલભાઈ, ગુરૂભાઈ, સુબોધસૂરીશ્વરજી મ.સા. પણ સંપૂર્ણ સાથ અને સહકાર આપી આ તીર્થની પ્રતિષ્ઠા વધે મહિમા વધે એ વાત ને ધ્યાનમાં લઈને બંને ભાઈઓએ પોતાનું નામ પણ ક્યાંય ન રાખતા ક્ત ગુરૂના નામે જ ભક્તિવિહાર (ભક્તિનગર) એવું નામ આપ્યું અને મૂળનાયક પણ ભક્તિપાર્શ્વનાથ ભગવાન રાખ્યા. આવા મારા ગુરૂદેવના મનમાં ક્યારની એક ભાવના રમી રહી હતી કે ખરેખર ૧૦૮ (એકસો આઠ) પાર્શ્વનાથ ભગવાનનો ટુંકુ અને ટચ મંત્ર આરાધના-જાપ-ધ્યાનસાધના સાથે નો પુસ્તક સેટ બહાર પડે તો કેટલું સારૂં, આ ભાવના ધ્યાનમાં લઈને ગુરૂદેવ મને પ્રેરણા કરી કે ભાઈ રત્નશેખર આવું એકાદ સેટ બહાર પડે તો ખૂબ જ સારું એમાં મારા શિષ્ય પ્રશાંતશેખરે આ વાત ઝીલી લીધી, ગુરુ અને શિષ્યના અથાગ પ્રયત્ન તથા પ્રવર્તિની પૂ.સા.શ્રી વિધુત્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ.સા.શ્રી રત્નપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ.સા.શ્રી સહજુપ્રજ્ઞાશ્રીજી મ. તથા પૂ.સા.શ્રી હેમરત્નાશ્રીજી મ. (બેન મ.સા.) ના સહકારથી આ સુંદર પુસ્તકોનો સેટ તૈયાર થયેલ છે. તો આ સંપૂર્ણ સેટ
SR No.032664
Book Title108 Parshwanath Tirth Samput Part 01
Original Sutra AuthorN/A
AuthorPrashantshekharvijay
PublisherUgamraj Bhanvarlal Shahji
Publication Year2006
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy