SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતને જૈન ઇતિહાસ. ગોચરી કરતાં લંકાને ધર્મનિ જતિ મલ્યો. લહુ અણગાર સંધાને કેટલીક આચારની વાત (સંબંધી) પડઉત્તર-પ્રશ્નોત્તર થયા ત્યારે બહુજ અણગારે લુકાના જતિ ધર્મસિને ઉપદેશ દીધે “તમે આવા જાણપણાને પામ્યા છે તે ગ૭માં કઈ (શા માટે) પડી રહ્યા છે?” ત્યારે જતિ ધર્મસિ બેલ્યો “અવસરે હસે તે જણાશે.” પછી ત્યાં ઘણું લેક વૈરાગ્ય પામ્યા, જિન માર્ગ સાચે કરી જાણવા લાગ્યા, ત્યારે ગવાસીએ લહુજી અણગારને ઘણા ઉપસર્ગ કીધા. તે મહાપુરૂષે ખમ્યા. ત્યાં કાલની મર્યાદા પૂરી થઈ - ૩૦ “પછી અમદાવાદથી સૂરત બંદર દિસન-પ્રત્યે વિહાર કર્યો ઘણા ભવ્ય જીવને ગામ નગર વિષે સમઝાવતા વીતરાગની વાણીની ઘણી પ્રરૂપણ કરી. ત્યારે લંકાની સામગ્રી (સમુદાય)વાળા લહુજ અણગારને ઉપસર્ગ કે તે શુભ પરિણામે અમે; તે વખતે અમદાવાદવાળાએ વિચાર્યું જે “પહેલાં અમદાવાદના શ્રાવકે વીરજી હિરા ઉપર કાગલ લખ્યું હતું જે લહુ અણગાર મહા પુરુષે સુરતને વિહાર કર્યો છે, ઘણું ઉત્તમ પ્રાણી છે, ઘણું તરણું તારણ સાધુ છે, તે માટે એહવા સાધુને નિર્દોષ વસ્ત્ર પાત્ર સ્થાનક આહાર પાણીની સાર સંભાલ કરજો, તેથી મહા કર્મની નિર્જરા થશે. ઘણા ગુણવંત છે. તીર્થકર નામ ગોત્ર બાંધવાનું ઠેકાણું છે, તે માટે શેઠજી તે ઘણા જિનમાર્ગના જાણુ છે, ઘણું ડાહ્યા છે, અમારા સિરદાર છો, નાયક છે. તે માટે બહુજ અણગાર આવ્યા હોય તે અમારી વતી ૧૦૮ વાર વંદના કરજે પછી અમદાવાદની વિનતિ કરજો, કે મહા પુરૂષ! તુહ વિના શ્રાવક રૂપ વાડી સૂકાય છે,
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy