SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતને જૈન ઇતિહાસે. વાદ થતાં તેનું નિરાકરણ કર્યું (મેઘવિજયજી કૃત તપાગચ્છ પટ્ટાવલીનું અનુસંધાન.) - ૨૫ સં. ૧૬૮૯ માં પ્રસિદ્ધ ઉપાધ્યાય વિજ્યવિજયજીએ સૂર્યપુર ચત્ય પરિપાટી” – પદ્યમાં રચી છે તેમાં ૧૪ કડી છે. પ્રથમની ૧૧ કડીમાં સુરતનાં અગ્યાર દેરાસરોનાં નામ આપ્યાં છે – ૧ ગષભદેવનું, ૨ શાંતિનાથનું, ૩ ધર્મનાથનું, ૪ સુરત મંડણ પાર્શ્વનાથનું, ૫ સંભવનાથનું, ૬ ધર્મનાથનું બીજું, ૭ અભિનંદનનું, ૮ પાર્શ્વનાથનું બીજું ઉંબરવાડામાં, ૯ કુંથુનાથનું, ૧૦ અજિતનાથનું, ૧૧ ચિતામણી પાર્શ્વનાથનું. આ રીતે ૧૧ પ્રધાન જિનમંદિર સુરતમાં હતાં એ તે શહેરના શ્રાવકેની વિપુલ સમૃદ્ધિ સૂચવે છે. ૫ વિકમ ૧૮ મું શતક. લોકાગચ્છમાં જુદો પક્ષ કાઢનાર શ્રી લવજી. ૨૬ આ શતકના પ્રારંભમાં સુરતના દશા શ્રીમાળી વણિક લવજીએ લકા સંપ્રદાયમાં દીક્ષા લીધી. ગુરૂને તજીને બીજા બે નામે ભાણજી અને સુખોઇને લઈ ઉગ્ર શાસ્ત્રોક્ત ક્રિયા પાળી શકાય એમ બતાવવા જુદા પડ્યા (સં. ૧૬૯૨ કે ૧૭૦૫). ખંડેર મકાન કે જેને ગુજરાતમાં ‘’ કહે છે તેમાં વાસ કરતા રહ્યા તેથી (યા તે ટૂંઢક એટલે શેધકના અર્થમાં) “ઢુંઢીયા” કહેવાયા. લવજીને શિષ્ય સમજી નામને અમદાવાદ કાલુપુરને એશાવાલ (દશા પોરવાડ) શ્રાવક દીક્ષા લઈ થયો તેણે સૂર્યની આતાપના બહુજ કરી. “પ્રથમ સાધ લવજી ભયે, દિતીય સેમ ગુરૂ
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy