SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમ ૧૭ મું શતક. ૧૭ એ વિજયસેનસૂરિએ સ. ૧૬૩૨ માં ચાંપાનેરમાં પ્રતિષ્ઠા કરીને ક્રમે ‘શ્રી પૂરિત' એટલે લક્ષ્મીથી સમૃદ્ધ એવા સુરત બંદર આવીને શ્રી મિશ્ર ચિન્તામણિ આદિ વિદ્વાન સભ્યા સમક્ષ અનેક પંડિતાની પરિષમાં આચાર્યોની સમક્ષ ૧.૬ કરીને શ્રીભૂષણ નામના દિગંબરાચાર્યને જીત્યા. ( વિજયપ્રશસ્તિ ૮, ૪૨ થી ૪૯ ). સ. ૧૬૪૫ માં ખરતરગચ્છના નાયક શ્રી જિનચંદ્રસૂરિએ શિવાસેામજીના સંધ સાથે શત્રુંજયની યાત્રા સ. ૧૬૪૪ માં કરી ત્યાંથી આવી સુરતમાં ચેમાસું કર્યું. ૧૧ ૧૮ તપાગચ્છનાયક શ્રી હીરવિજયસૂરિએ શત્રુંજયની યાત્રાને સધ કઢાવી સ. ૧૬૪૯ માં તે તીની યાત્રા કરી હતી તે સંધમાં અનેક ગામના સંધના લેાકેા ભળ્યા હતા, તેમાં સુરતના સંધજતા હતા. ૧૯ પાતાના દીક્ષાધામ સુરતમાં ઉક્ત વિજયસેનસૂરિએ સ. ૧૬પ વૈ. શુ. ૧૩ બુધે લઘુ ( દશા ) એસવાળ ‘સુરતિ ખંદિરવાસ્તવ્ય ’શ્રેષ્ઠિ સા સામજી ભાણુજીએ ભરાવેલ ૨૪ જિન પરિકર સહિત શ્રી શાંતિનાથ બિંબની, અને સ. ૧૬૬૪ જે શુ. ૫ સેમે વીસા એશવાળ ‘ સુરતિ મંદિર વાસ્તવ્ય' સા અલવેસર અરજી અતે હેમજીએ કરાવેલી સુપાર્શ્વનાથની પ્રતિમાની, વીસા શ્રીમાલી સામલજીએ કરાવેલા પાર્શ્વનાથ મિશ્રની તથા વીસા એસવાળ માનબાએ કરાવેલી પામ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૨૦ સ. ૧૬૬૪ માં ઉક્ત હીરવિજયસૂરિશિષ્ય મુનિવિજયના શિષ્ય દર્શનવિજયે સુરતમાં નૈમિજિન સ્તવન પટે કડીનુ ગૂજરાતીમાં જુદા જુદા રાગમાં રચ્યું.
SR No.032631
Book TitleSuryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherMotichand Maganbhai Choskhi
Publication Year1939
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy