SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ “ ભરત ” નામ કેમ પડયું! તુલ્ય છ ખંડને જીતી સમસ્ત ભરત ઉપર રાજ્યગાદી ભેગવનાર ત્રેશઠ મહાપુરુષે થઈ ગયા છે. તેને પહેલે વિભાગ ચોવીશ તીર્થકરોને સમજવો. જેમના કાળમાં બાર ચક્રવતીઓ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવો અને નવ બાળદે થયા છે. આ ત્રેસઠ મહાપુરુષોએ રાષ્ટ્રધર્મ તરીકે જૈનધર્મને અમર કરી ભારતભૂમિને સંસ્કારી બનાવી છે. નવે બળદેવેના નવ વાસુદેવો ભાઈઓ થતા હોવાથી તેઓ વાસુદેવના કાળમાં થયેલા સમજવા. અને પ્રતિવાસુદેવ પણ તે સમયમાં જ હોય છે, પણ તેઓ વાસુદેવના જન્મ અગાઉ જન્મે છે. સર્વજ્ઞ યુગાદિ પ્રથમ તીર્થકર ઋષભદેવથી લગાવી અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીર આત્મજ્ઞાનની એક જ જાતની દેશના દેતા. તે સત્ય વાણીને પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણ બાદ સર્વજ્ઞ કેવળજ્ઞાની ગણધર મહારાજોએ, શ્રુતકેવલીઓએ અને પૂર્વધર જ્ઞાનીઓ સાથે યુગપ્રધાન આચાર્યોએ જ્ઞાનના બળે પ્રભુની વાણુને સત્ય ઉપદેશ ગ્રંથમાં શું છે. તે ઉપદેશથાને જ્ઞાનીઓએ આગમ સૂત્રોના નામે ૪૫ (પીસ્તાલીશ) સૂત્રો તરીકે રહ્યા છે, જેમાંથી ભારતની પ્રાચીન એતિહાસિક સમાજને અંગે ઘણું જ મહત્ત્વતાભર્યું સાધન સમજવા મળે તેમ છે, જેથી અમે ઉપરોક્ત ૪૫ આગમ ગ્રંથે કે જે પાંચ અંગમાં વહેંચાયેલ છે તેના દરેક સૂત્રમાં કઈ કઈ વસ્તુઓને સમાવેશ થાય છે, તેની સાથે તેમાં કેટલી કેટલી ગાથાઓ અને લેકે સાથે આ આગમ સૂત્રો ક્યા ક્યા સમર્થ આચાર્યોએ બનાવ્યા છે તેની નેંધ મહાન પ્રયાસે મેળવી છે, જેને ચેથા પ્રકરણમાં રજૂ કરી અને કૃતાર્થ થઈએ છીએ. પિસ્તાળીશ મૂળ સૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે – (૧) શ્રી નંદિસૂત્ર, (૨) અનુયોગદ્વારસૂત્ર, (૩) શ્રી દશવૈકાલિકસૂત્ર, (૪) શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, (૫) શ્રી ઘનિર્યુક્તિસૂત્ર, (૬) શ્રી આવશ્યકસૂત્ર, (૭) શ્રી નિશીથછેદસૂત્ર, (૮) શ્રી વ્યવહારકલપસૂત્ર, (૯) શ્રીદશાશ્રુતસ્કંધસૂત્ર, (૧૦) શ્રી પંચક૯૫છેદસૂત્ર, (૧૧) શ્રી જીતક૫છેદસૂત્ર, (૧૨) શ્રીમહાનિશીથ છેદસૂત્ર, (૧૩) શ્રી ચઉસર ઈજયસૂત્ર, (૧૪) શ્રી આઉરપચ્ચખાણુસૂત્ર, (૧૫) શ્રી ભરપરિજ્ઞાસૂત્ર, (૧૬) શ્રી સંથારાપઈજયસૂત્ર, (૧૭) શ્રી તંદુલયાલીયસૂત્ર, (૧૮) શ્રી ચંદાવિજય પઈન્નયસૂત્ર, (૧૯) શ્રી દેવિથઈ. પઈન્નયસૂત્ર, (૨૦) શ્રી મરણસમાધિસૂત્ર, (૨૧) શ્રી મહાપચ્ચકખાણુસૂત્ર, (૨૨) શ્રી ગણિવિજયપઈન્નયસૂત્ર, (૨૩) શ્રી આચારાંગસૂત્ર, (૨૪) શ્રી સૂયગડાંગસૂત્ર, (૨૫) શ્રી ઠાકુંગસૂત્ર, (૨૬) શ્રી સમવાયાંગસૂત્ર, (૨૭) શ્રી ભગવતીસૂત્ર, (૨૮) શ્રી જ્ઞાતાધર્મકથાંગસૂત્ર, (૨૯) શ્રી ઉપાસકદશાંગસૂત્ર, (૩૦) શ્રી અંતગડદશાંગસૂત્ર, (૩૧) શ્રી અણુત્તરવવાઇસૂત્ર, (૩૨) શ્રી પ્રશ્નવ્યાકરણુસૂત્ર, (૩૩) શ્રી વિપાકાંગસૂત્ર, (૩૪) શ્રી ઉવવાઈસૂત્ર, (૩૫) શ્રી રાયપણુસૂત્ર, (૩૬) શ્રી જીવાભિગમસૂત્ર, (૩૭) શ્રી પન્નવણાઉપાંગસૂત્ર, (૩૮) શ્રી સૂર્ય પન્નત્તિસૂત્ર, (૩૯) શ્રી જંબુદ્વીપપન્નત્તિસૂત્ર, (૪૦) શ્રી ચંદપન્નત્તિસૂત્ર, (૪૧) શ્રી કષ્પવડંસિયાસૂત્ર, (૪૨) શ્રી નિરયાલીસૂત્ર, (૪૩) શ્રી પુફિયુલિયાસૂત્ર, (૪૪) શ્રી વહિંદશપાંગસૂત્ર, (૪૫) પુફિયાઉપાંગસૂત્ર.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy