SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સંયોગથી દીર્ઘજવાળાઓવનસ્પતિ સમૂહને અને તેમાં રહેલા પક્ષીઓ-ત્રણ જીવો તથા પશુઓને બાળીને ભસ્મીભૂત કરે છે. બીજા બધા શસ્ત્રો કરતાં અગ્નિકાય શસ્ત્ર અતિપ્રબળ, તીક્ષ્ણ, ભયાનક છે. માત્ર વનસ્પતિકાય નહીં પણ પૃથ્વીકાયાદિ સર્વનું અગ્નિકાય શસ્ત્ર બને છે. અગ્નિકાયનો આરંભ કરનાર વ્યકિત છ કાયનો વિરાધક છે કારણ કે અગ્નિકાયની વિરાધનામાં છ કાયની વિરાધના રહેલી જ છે. અગ્નિ જે પદાર્થમાંથી પેદા થાય છે તે પદાર્થ જલીય (ભીનાશવાળો) હોય, અર્થાત્ તેમાં પાણીનો ભાગ રહેલો હોય.અગ્નિ વાયુવિના ન બળે. વાયુ તે અપૂકાયની યોનિ છે. જ્યાં પાણી ત્યાં વનસ્પતિ જત્વ જલ તત્વ વર્ષ, અગ્નિ પૃથ્વીકાય પર બળે, તેથી પૃથ્વીકાયની પણ વિરાધના થાય અને તેમાં ત્રસ જીવો પણ ઉડતાં આવીને પડે. આમ અગ્નિકાય એ છ કાયનો શસ્ત્ર છે તેથી તેને દીર્ઘલોક શસ્ત્ર પણ કહ્યો છે. 2. અગ્નિકાયને પ્રગટાવનાર વિરાધક કે બુઝાવનાર વિરાધક? दो पुरिसा सरिसवया अन्नमन्नेहिं सद्धिं अग्निकायं समारंभति, तत्थ जंएगे पुरिसे अग्निकायं समुज्जायेति, एगे विझार्वेति तत्थणं के पुरिसे महाकम्मयराए ? के पुरिसं Mવારા ગોયમાં ! जे उज्जालेति से महाकम्मराए जे विझार्वेति से अप्पकम्मराए । (ભગવતી સૂત્ર) જે અગ્નિકાયને પ્રગટાવે છે તે મહારંભ કરનારો છે અને જે બુઝાવનારો છે તે અલ્પારંભ કરનારો છે. 1 , અગ્નિકાય શસ્ત્રી ધૂળ, પાણી, લીલી વનસ્પતિ અને ત્રસકાયોના - જીવોના શરીરો બાદર અગ્નિકાયના સામાન્ય શસ્ત્રો છે. જીવવિચાર | ૮૧
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy