SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ | મુખપૃષ્ઠ ચિત્રની સમજ :: સંસારચક (નિગોદ મૂળ) ચાર ગતિ (૧) તિર્યંચ (૨) નરક (૩) દેવ (૪) મનુષ્ય. (૧) તિર્યંચ ગતિ : (૧) એકેન્દ્રિય (સ્થાવરકાય) (૨) વિકસેન્દ્રિય | (૩) પંચેન્દ્રિય. (૨) નરક ગતિ : (૧) રત્નપ્રભા (૨) શર્કરપ્રભા (૩) વાલુકાપ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમ્રપ્રભા () તમ પ્રભા (૭) તમસ્તમ પ્રભા. (૩) દેવગતિ ઃ (૧) ભુવનપતિ (ર) વ્યંતર (૩) જ્યોતિષ (૪) વૈમાનિક. (૪) મનુષ્ય ગતિઃ (૧) કર્મભૂમિ (ર) અકર્મભૂમિ (૩) પદઅંતર્લીપ. ચાર ગતિરુપ સંસારચક્રમાં જીવ અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. તેનું મૂળનિગોદ છે. એક જીવ જ્યારે સિદ્ધગતિ (મોક્ષ) પામે ત્યારે એક જીવ અનાદિ નિગોદમાંથી બહાર આવે ત્યારે તે જીવ વ્યવહારરાશિનો કહેવાય. વ્યવહાર રાશિમાં આવ્યા પછી અનંતકાળ જીવ તિર્યંચ ગતિમાં એકેન્દ્રિયપણામાં પસાર કરે, ત્યાં અકામ નિર્જરા કરવા વડે તિર્યંચ એકેન્દ્રિયમાંથી તિર્યંચ વિકલેજિયમાં પસાર કરે, પછી ત્યાંથી તિર્યંચ પંચેન્દ્રિયમાં સંશી કે અસંશમાં જાય. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી જીવ અકામ નિર્જરા વડે હલકી દેવગતિમાં જાય અથવા અશુભ પ્રવૃત્તિ કરવા વડે પ્રથમ નરકમાં જાય. સંશમાંથી તિર્યંચ પંચેન્દ્રિયજીવ અકામનિર્જરાકેશુભ પ્રવૃત્તિ વડે કે દેશવિરતિના પાલન વડે દેવગતિમાં ભુવનપતિથી વૈમાનિક આઠમાં દેવલોક સુધી જઈ શકે અને અશુભ પ્રવૃત્તિ વડે એકથી સાત નરકમાં જઈ શકે, મનુષ્ય ગતિમાં કે પાછો તિર્યંચ ગતિમાં પણ જઈ શકે. દેવગતિના જીવો રત્નાદિમાં આસકત થવા વડે સ્થાવરકાય એકેન્દ્રિયમાં પણ આવી શકે, મનુષ્યગતિ કે તિર્યંચ પચેજિયગતિમાં પણ આવી શકે પણ વિકલેજિયમાં ન જઈશકે. અસંખ્યાત વર્ષવાળા યુગલિક મનુષ્યમાત્રદેવગતિમાંજ જાય. જ્યારે જીવવિચાર || ૩
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy