SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ a વભૂમિ ક્રિય તિથી: - પર્યાપ્તાની જલચરની અવગાહના એક હજાર યોજનની ઊંચાઈ. ' - ઉરપરિસર્પની અવગાહનારથી ૯યોજનની ઊંચાઈ. -ભુજપરિસર્ષની અવગાહનારથી ૯ ધનુષની ઊંચાઈ. - ચતુષ્પદની અવગાહનાર થી ૯ગાઉની ઊંચાઈ. – ખેચરની અવગાહનારથી ધનુષ્યની ઊંચાઈ. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા પ્રાયઃ કરીને અઢીદ્વીપની બહાર હોય છે છતાં કોઈ વખત તેઓ જબૂદ્વીપમાં પ્રવેશી પણ જાય. થોડા વર્ષો પહેલાં એક મગરમચ્છ૮૫ફૂટ લાંબો ૩૦ ફૂટ ઊંચો મળી આવેલ. સંજ્ઞી પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચોને સ્વાભાવિક કે નિમિત્તાદિથી સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે પશ્ચાતાપ થાય અને તે વિચારે, જેમપાર્શ્વપ્રભુનો આત્મા હાથીના ભવમાંઅરવિંદ મહર્ષિવડે પ્રતિબોધ પામ્યો ત્યારે વિચારે છે કે આ મારી વિશાળ કાયાથી જો હુંજરાપણ પ્રમાદકરું તો કેટલા જીવોનો સંહાર કરનારો બનું? આના પોષણ માટે મારે કેટલો આહાર આ શરીરને આપવો પડે? ત્યાર પછી અચિત્ત પાણી અને અચિત્ત જ આહાર ગ્રહણ કરવાનો નિયમ કરે છે. પણભાવમાં મળેલું શરીર જ્યારે છોડે ત્યારે જયણા પાળવી કેટલી દુષ્કર થાય – ચંડકોશિયાનો આત્મા પણ પ્રતિબોધ પામ્યા પછી પોતાના દેહનું હલનચલન સંપૂર્ણ બંધ કરી મુખબિલમાં નાંખી અને અનશન કરીને રહ્યો હવે પોતાની દષ્ટિ કોઈના પર ન પડે. આજ સુધી માત્ર દષ્ટિ નાખવા દ્વારા કેટલાયના પ્રાણોના ભોગ લીધો, આમ પશ્ચાત્તાપના કારણે તે આરાધના કરીને આઠમાંદેવલોકમાંગયો. જીવવિચાર || ૨૪s
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy