SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ નરક–પૃથ્વી નામ I સાત પૃથ્વીઓ D જાડાઈ ૧ લાખ ૮૦ હજાર યોજન ૧ લાખ ૩૨ હજાર યોજન ૧ લાખ ૨૮ હજાર યોજન ૧ લાખ ૨૦ હજાર યોજન ૧ લાખ ૧૮ હજાર યોજન ૧ લાખ ૧૬ હજાર યોજન ૧ લાખ ૮ હજાર યોજન પહોંળાઈ ૧ રાજ પહોળી ૨ રાજ પહોળી ૩ રાજ પહોળી |૪ રાજ પહોળી ૫ રાજ પહોળી નામ ધમ્મા વંશા શૈલા અંજના રિષ્ટા મા ૬ રાજ પહોળી માઘવતી ૭ રાજ પહોળી ૧. રત્નપ્રભા પૃથ્વી ૨. | શર્કરાપ્રભા પૃથ્વી ૩. | વાલુકાપ્રભા પૃથ્વી ૪. શંકપ્રભા પૃથ્વી ૫. | ધૂમપ્રભા પૃથ્વી F. તમઃપ્રભા પૃથ્વી ૭. તમસ્તમઃ પ્રભા પૃથ્વી દરેક પૃથ્વીની જાડાઈમાં પ્રતરો (માળા) આવેલાં છે. બે પ્રતરોની વચ્ચે આંતરું છે. દરેક પ્રતરની જાડાઈ ૩૦૦૦ યોજન હોય છે. ઉપર–નીચેના પ્રતર ગાઢ છે. વચ્ચેના પ્રતરોમાં પોલાણ છે જેમાં નરકાવાસો આવેલા છે. દરેક નરકાવાસની ઊંચાઈ ૧૦૦૦ યોજન છે. પણ ઉપરના ભાગમાં શિખરાકારે, ઘુમ્મટાકારે કે અણીવાળા થતાં હોવાથી સંકુચિત વિસ્તારે હોય છે. — પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના ઉપર–નીચેના ૧–૧ હજાર યોજન છોડીને વચ્ચેના ૧ લાખ ૭૮ હજાર યોજન પ્રમાણ ૧૩ પ્રતરો આવેલાં છે. તે પ્રતરોની વચમાં આંતરું–પોલાણ હોય છે તેમાં નરકાવાસ આવેલાં છે. ૧૩ પ્રતરોમાં ૩૦ લાખ નરકાવાસ છે. તેમાં કેટલાંક સંખ્યાત યોજનવાળા તેમાં સંખ્યાત નરકનાં જીવો અને કેટલાંક અસંખ્યાત યોજનવાળા તેમાં અસંખ્યાત નરકનાં જીવો રહેલા હોય છે. નાનામાં નાનો નરકાવાસ જંબુદ્રીપના ભરતક્ષેત્ર (૬ ખંડ પ્રમાણ) ૫૨૬ યોજન ઉપર છ કલા પ્રમાણનો હોય છે. પ્રથમ નરકવાસ ૪૫ લાખ યોજન પ્રમાણ સીમંત નામે તેમાં સંખ્યાતા નરકનાં જીવો રહેલાં છે. એક નરકવાસથી બીજા નરકવાસનું આંતરું કેટલાક સંખ્યાત અને કેટલાંક અસંખ્યાત યોજને હોય છે. નારકીઓનો જન્મ જીવવિચાર | ૨૩૯
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy