SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ રતન હાથ દસ હાથ = ૧ વંશ ૨ હાથનકુશી વીસ વંશ = ૨૦૪ હાથ ૨ કુલી = ૧ ધનુષ્ય ૨૦૪ હાથ = ૧ ક્ષેત્ર ૨હજાર ધનુષ્ય = ૧ગાઉ ૪ગાઉનયોજન * નોંધઃ જીવોના શરીરની અવગાહના, આયુષ્ય તથા કાયસ્થિતિ વગેરેના કૌઠા આ પુસ્તકના પાછળના ભાગમાં આપેલા છે. pજીવોના શરીરની અવગાહના . ગ્રંથકાર પૂ. શાંતિસૂરિ મહારાજ હવે જે જીવોએ પોતાનું સત્તાગત શુદ્ધ સ્વરૂપ, સર્વસંગથી રહિત, પૂર્ણ સિદ્ધત્વ પ્રગટ કર્યું નથી તેવા સંસારી જીવો કઈ રીતે પીડા પામશે અથવા કર્મ વડે અપાયેલ કઈ સામગ્રી વડે પીડા પામશે અને બીજા જીવોને પણ પીડા આપવામાં નિમિત્ત બનશે તે વાત જણાવે છે. આયુષ્યકર્મના ઉદયે શરીરાદિદ્રવ્ય પ્રાણોની સાથે રહેવા જેટલો કાળ પસાર કરવાનો છે તેના માટે શરીર ઔદારિકાદિ) ધારણ કરવા જીવે યોનિ રૂપયંત્રમાં પલાવું પડે. આત્માના ભાવ પ્રાણોની વિરુદ્ધ એવા કયા દ્રવ્ય પ્રાણોને જીવે ધારણ કરવા પડશે, તથા ક્યા ક્યા દેહમાં (ભવમાં) કેટલા પ્રાણો ધારણ કરવાના અને કેટલો કાળ તેને જીવ ધારણ કરશે? તે વિગત ગ્રંથકાર કહે છે. પ્રથમ શરીરનું પ્રમાણ કહેવાય છે. ગાથા રદ એએસિંછવાઇ, શરીર માઉઠિઈ સકાયમિ પાણા જોરિ–પમા જેસિં જ અતિ તે ભકિમો. . ૨૬ સંક્ષેપથી રૂડી રીતે, ભેદો કહ્યા એ જીવના; હવે એ જીવોમાં જેટલું છે, તેટલું હે ભવિના! શરીરને આયુષ્યનું ત્રીજું સ્વકાય સ્થિતિતણું પ્રમાણ પ્રાણ ને યોનિઓનું દાખશું તેઓ તણું. ૨૦ જીવવિચાર || ર૩ર
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy