SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) અકર્મ ભૂમિઃ જ્યાં અસિ–મસિ-કૃષિ ઈતિ આદિનો વ્યવહાર ન હોય પણ માત્ર યુગલિકસ્વભાવ પ્રવર્તે છે તેને અકર્મભૂમિ કહેવાય. જ્યાં યુગલિક સાથે જન્મ અને સાથે મારે અને મરીને નિયમાદેવલોકમાં જ જાયતે ભોગભૂમિ કહેવાય. ત્યાં વ્યવહાર ધર્મના હોય, માત્ર સમકિત હોય શકે. અલ્પ કષાયવાળા, બધા પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાનવાળા, પાદચારી, વાહનનો ઉપયોગ ન કરે. દૂધ-અનાજનો ઉપભોગ નહીં. દેહ સુગધી, શ્વાસોશ્વાસ કમળ જેવો, કંઠ પક્ષી જેવો, ગુહ્ય ભાગ કબૂતર જેવું જઠર અગ્નિ પત્થરને પચાવે તેવું, ગોળ જંઘા, પગ કાચબા જેવા સુંદર, કલ્પવૃક્ષ ફળ કે માટીનું ભોજન માટી શેરડીથી મધુર, ગંદકીનો અભાવ, મચ્છરાદિ, તુચ્છવિકલેન્દ્રિયનો અભાવ, રોગાદિઉપદ્રવ નહીં. માત્ર ખાસી, છીંક કે બગાસુ ખાતા મૃત્યુ પામે. મૃત્યુ પહેલા છ મહિના એકયુગલ જન્મ, ક્રમે ૪૯ દિવસ યુગલને પાળે, સાત દિવસ યૌવન અવસ્થા પામીને ભોગને સમર્થ બને પછી કેટલાક સમકિતને યોગ્ય બને કેટલાક સમકિતને લઈને ત્યાં આવે અથવા નવું સમકિત પામે. યુગલિકતિર્યંચો, પણ સમકિતધારી હોય, સ્ત્રી તિર્યંચને ક્ષાયિક સમકિત ન હોય. યુગલિક તિર્યંચો વાઘ, સિંહ પણ અહિંસક હોય તેઓ અલ્પ કષાયી મરીને દેવલોકમાં જાય. અકીલીપમાં આવી ત્રીસ કર્મભૂમીઓ છે. તે નીચે પ્રમાણેઃ હૈમવત હિરણ્યવત હરિવર્ષ | રમ્યકવર્ષ દેવકુ ઉત્તરકુર જબૂદ્વીપ | ઘાતકીખંડ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | ૨ | સર્વ પુષ્પરાવર્તદ્વીપ ૨ - ૨ | ૨ | ૨ | ૨ | ૨ કુલ ૩૦ જબૂદ્વીપમાં છ યુગલિક ક્ષેત્રો છે. દેવકુરુ ક્ષેત્ર અને ઉત્તરકુરુક્ષેત્ર મેરુની ઉત્તરે અને દક્ષિણે છે. મહાહિમવત પર્વતની ઉત્તરે અને નિષેધ પર્વતની જીવવિચાર | ૨૦૯
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy