SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદય એ જ જીવનું ભાવ મરણ છે. આપશું તેવું મળશે એ શ્રદ્ધા છે માટે જગતમાં પરોપકારાદિ કાર્યોથાયછે. અનાદિના સંસ્કારો છે તે એટલા મજબૂત છે કે પરિણામ ન આવે તો પણ સતપ્રવૃત્તિના સંસ્કારો નાખવા જ પડે તો જ પછી પરિણામ આવશે અને અનુભવવાના પરિણામના લક્ષે જ કાર્ય કરવાનું છે. વર્તમાનમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ વગેરેના જે પરિણામ થશે તે થાયોપથમિકભાવે જ થશે. કારણ ક્ષાયિક ભાવે થાય તેવા પ્રકારની લાયકાત આપણે કેળવી જ નથી એટલે જ પાંચમા આરામાં આપણો જન્મ થયો. [] આત્માને જાગૃત રાખવા સત્સંગ જરૂરીઃ સત્સંગની જે સીમા છે એ જેટલી મજબૂત બનાવીએ તેટલા જ બચવાના ચાન્સ છે નહીં તો પડવાના તો ચાન્સ છે જ. સતસંગ એટલે આત્મશાની સરુનો સંગ એ પ્રથમ સત્સંગ છે. જે પોતાનો અનુભવ કરતા હોય, આત્માના અનુભવ માટે નીકળેલા હોય, તેની માટે પ્રયત્ન કરતા હોય અને આંશિક પણ તેનો અનુભવ કરતા હોય, શાશ્વત એવા આત્માનો અનુભવતે સહુનો સંગ. આત્માના અનુભવનો લક્ષ નથી તો તે માત્રદ્રવ્યલિંગી છે પછી તે ગમે તે સંપ્રદાયનો કે સમુદાયનો હોય. આગમાં બીજા નંબરે આવે અર્થાત્ અનુભવયોગી સદ્ગુરુ પાસે આગમ શાસ્ત્રાભ્યાસ રૂપ સત્સંગ. 0 જિન આગમ - જિન બિબ ભાવીયરકો આધારા કલિકાલે એકઆગમને બીજુંજિનબિબબેતરવાનાં સાધન કહ્યાં છે. આગમ એ પરમાત્માની વાણીસ્વરૂપદેહછે. જિનબિંબને પણ ત્યારે જ પરખી શકશો જ્યારે આગમને સમજીને કામ કરશો. જે તત્ત્વને જાણતો નથી તે પરમાત્માને નહીં જાણી શકે. પરમાત્માને જાણવા માટે તત્ત્વને આગમને જાણવા જપડશે. જિનબિંબમાં પ્રતિબિંબ કોનું પડે? પોતાના આત્માનું અર્થાતુ જિનના દર્શન કરતાં પોતાના આત્માનું પોતાને જિનબિંબમાં દર્શન થાય. આગમના અભ્યાસ પછી જ મહાપુરુષો પરમાત્મામાં લયલીન બન્યાં. જ્ઞાન ઉપાસનાની શક્તિ છે તેણે તો જ્ઞાન જ જાણવાનું છે. જિનબિંબ તેવા માટે છે કે જેનામાં જીવવિચાર // ૨૦
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy