SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ તે વેદના તેમની અવ્યક્ત છે. નરકના જીવોને વ્યક્ત વેદના છે. તેઓ સમાધિ રાખી શકે. સોમસકામકેઅકામનિર્જરા કરી શકે અને નવા સંસારના સર્જનનો અનુબંધ અટકાવી શકે પણ સંપૂર્ણ સંસારનું વિસર્જન કરી શકતા નથી. નકશા શું મળે? જુગલરાગે નરક વેદના વાર બનતી વેદી. પુણ્ય સંયોગે નરભવ લાવી. અભ પુદ્ગલ ગતિ વેદી. વર્તમાનમાં જે ભોગવે તે ભવિષ્યમાં મળે. અવ્યક્ત દુઃખતો આત્મા અનાદિકાળથી ભોગવતો જ હતો પણ જેમ-જેમ જ્ઞાનની સમજણવધતી ગઈ તેમ તેમ પોતાનું સુખ ભોગવવાને બદલે પારકામાં સુખ ભોગવવા ગયો માટે એને દુઃખ ભોગવવાનો વારો આવ્યો. મિથ્યાત્વ એ મોટું અજ્ઞાન છે. જ્ઞાનીઓએ જેને દુઃખ કહ્યું હતું તેને સુખની ભાત્તિથી ભોગવ્યું માટે દુઃખ ભોગવવાનરકમાં જવાનો વારો આવ્યો. વ્યક્ત દુઃખ નરકમાં વધારે છે માટે એ પ્રમાણે વર્ણન કર્યું. વર્તમાનમાં જે ભોગવે તે ભવિષ્યમાં મળે. નીચે–નીચે જેમ જાઓ તેમ-તેમ નરકવાસો આવાસો ઘટતા જાય છે. પ્રથમ નરકના ૧૩ પ્રતરમાં ૩૦ લાખ નરકાવાસ શાશ્વત છે, તેની ભીંતો શાશ્વત તથા વમય બનેલી છે, નારકોનું જન્મસ્થળ કુંભી ગોખલા જેવી, છિદ્ર સહિત અંદરથી પહોળીને બહાર નીકળવાનો માર્ગ એકદમ સાંકડો છે એટલે તેને બહાર નીકળતી વખતે ભયંકર પીડા થાય છે. ત્યાંદસ પ્રકારની વેદના છે. આ વેદના જે જીવોએ અહીં ભોગવી હોય તેને નરકમાં આ દસ પ્રકારની વેદના ભોગવવાનો વારો આવે છે. નિયમ એ છે કે વર્તમાનમાં તમે જે ભોગવો છોતે જ ભવિષ્યમાં ગુણાકાર રૂપે મળે છે. વર્તમાનમાં પુણ્યના ઉદયે મળ્યું છે માટે ભોગવીલોતોફરી પણ એજ મળશેપણનભોગવો તો ભવિષ્યમાં એન મળે. માટે હવે આપણે આ નિર્ણય કરવાનો છે કે ભોગવવું છે કે નહીં? નરકમાં અસાતાને દેવલોકમાં સાતાનાપુગલો જ ભોગવવાના છે. જે પુણ્યપાપના ઉદયથી મળવાના છે પણ ભોગવવામાં આપણે સ્વતંત્ર છીએ, ભોગવવું કેન ભોગવવું? ભોગવવું એ આત્માનો સ્વભાવ છે. દસ પ્રકારના પુદ્ગલ જીવવિચાર / ૧૪૬
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy