SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા (હેમચન્દ્રસાગરસૂરિજી) ને ૭૬મી ઓળીનું પારણું થયું. એમને તપ કરવાની શી જરૂર ? પ્રસિદ્ધિ છે. પરિવાર છે. ભક્તો છે. બધું જ છે. છતાં તપ પ્રત્યે કેટલો પ્રેમ ? કેમ કે જાણે છે તપ વિના કર્મ-ક્ષય નથી. કર્મ-ક્ષય વિના મોક્ષ મળશે ? લાડવા ખાતાં ખાતાં મોક્ષ મળી જશે ? મને નથી લાગતું : મોક્ષની ઈચ્છા જાગેલી હોય! મોક્ષે જવું હોય તો કમ્મર કસવી પડે. “હું પાતયામિ શ્વાર્થ સાથયામિ ' કેસરીયા કરીને નીકળવું પડે. તો તપ થાય, કર્મ-ક્ષય થાય. અપુનબંધકમાં આપણો નંબર છે કે નહિ તે જાણવું છે? બીજાધાન થયું છે કે નહિ, તે જાણવું છે ? બીજાધાન વિના ભગવાન તરફથી યોગક્ષેમ થવાનો નથી. તેથી સ્વાભાવિક છે કે આપણામાં બીજાધાન થયું છે કે નહિ ? તે જાણવાની ઈચ્છા જાગે. અપુનબંધકતા પછી ક્ષયોપશમ ભાવના ગુણો વધતા રહે છે. - પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી = ક્ષયોપશમ ભાવનું અપ-ડાઉન ન થયા કરે ? - પૂજ્યશ્રી ? નહિ, ક્ષયોપશમભાવની નિત્યવૃદ્ધિ થવી જોઈએ. આગળ-પાછળ જતો રહે તો મુસાફર મંઝિલે શી રીતે પહોંચે ? મુંબઈથી અહીં તમે શી રીતે આવ્યા ? થોડાક આગળ - થોડાક પાછળ ચાલતા રહો તો પહોંચો ? આપણે મુક્તિનગરે પહોંચવું છે. પાછળ હટીશું તો શી રીતે પહોંચાશે ? અપુનબંધક એટલે એવો આત્મા કે તે હવે ભવચક્રમાં કદી પણ મોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિ (૭૦ કોડાકોડિ સાગરોપમ) બાંધવાનો નથી. એણે થોડી પરમની ઝલક મેળવી છે એ હવે વિષ્ઠામાં કેમ આળોટે ? મીઠાઈ ખાધી તે હવે બાક્સ-બુક્સ કેમ સેવે ? કદાચ સેવવું પડે તો પણ મન ક્યાં હોય ? જાણ્યો રે જેણે તુજ ગુણ લેશ, બીજા રે રસ તેને મન નવિ ગમેજી; કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૬૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy