SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ તીર્થકરથી બધા ભવ્યોનો યોગ-ક્ષેમ શક્ય નથી. અપાઈ યુગલ પરાવર્તમાં મોક્ષ થવાનો છે, તેનો જ યોગક્ષેમ થાય. તાત્કાલિક ઓપરેશન કરાવવું હોય તે જ દર્દીનું ડૉકટર ઓપરેશન કરે છે. આપણો સ્વભાવ છે : બધું જ મારી પાસે રાખવું. કાંઈ પણ સમર્પિત ન કરવું. મારું તે મારું, તારું પણ મારું. આવા સ્વભાવવાળાનો ભગવાન યોગક્ષેમ શી રીતે કરી શકે ? આપણે આપણી પાસે શું રાખ્યું ? ને ભગવાનને – ગુરુને શું આપ્યું છે ? કદી આત્મ-નિરીક્ષણ કરજો. ખ્યાલ આવી જશે. ગોશાળા – જમાલિને સાક્ષાત ભગવાન મળવા છતાં કેમ કામ ન થયું ? મોક્ષ મોડેથી થવાનો હતો એટલે સમર્પણ ભાવ ન જાગ્યો. આનાથી આડકતરી રીતે ભગવાન એમ પણ જણાવે છે : બધાને એકીસાથે તારી દેવાના અભરખા છોડી દેજો. બીજાધાન વગરના જીવોને ભગવાન પણ નથી તારી શકતા તો તમે કોણ? 'कार्यं च किं ते परदोष दृष्टया, कार्यं च किं ते परचिन्तया च । वृथा कथं खिद्यसि बालबुद्धे । कुरु स्वकार्यं त्यज सर्वमन्यत् ॥ - હૃદયપ્રદીપ. આ ૩૬ શ્લોકનો ગ્રંથ કંઠસ્થ ન કર્યો હોય તો કરી લેજો. આ જ ગ્રંથમાં લખ્યું છે : सम्यग् विरक्तिर्ननु यस्य चित्ते, सम्यग् गुरुर्यस्य च तत्त्ववेत्ता । सदाऽनुभूत्या दृढनिश्चयो य - स्तस्यैव सिद्धि न हि चाऽपरस्य ॥ માથે સગુરુ, હૃદયમાં વૈરાગ્ય, આત્મામાં અનુભૂતિ હોય તો જ મોક્ષ મળે. કદીક વિચારજો : ભગવાનનો યોગક્ષેમ મારામાં શરૂ ૬૦. * * * * * * * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy