SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શકતો નથી. સાંભળું છું ત્યારે સ્તબ્ધ થઈ જાઉં છું. ધ્યાનાર્થીઓને સૂચના કે ફરી ઘેર જઈ Tv. ન જુએ. અરે, ઘરમાં T.V. રાખવું જોઈએ જ નહિ. અહીં નિર્મળ થાવ ને TV. જોઈ મલિન બનો, એવું નહિ કરતા. ગધેડો સ્નાન કરી ફરી ઊકરડામાં આળોટે, તેવું નહિ કરતા. T.V. વગેરે બધું કાઢી નાખજો. કપડાનો કાપ ઘણો કાઢ્યો. હવે મનનો કાપ કાઢવાનો છે. વસ્ત્ર તો બીજા પણ ધોઈ આપે, પણ મનને તો આપણે જ ધોવું પડશે. એટલે પહેલું કામ : ૧. કલ્પનાના જાળા વિખેરી નાખવા : વિમુવqનાગાનમ્ | ૨. સમતામાં પ્રતિષ્ઠિત કરવું : સમત્વે સુપ્રતિષ્ઠિતમ્ | ૩. આત્મામાં ડૂબી જવું : માત્મારામ મનઃ આ ત્રણ સોપાનમાં મનોગુપ્તિ વહેંચાયેલી છે. આ પ્રયાસ સ્તુત્ય છે. યશોવિજયસૂરિજી આચાર્ય ભગવંત છે. ગુરુ આશીષ પામીને જે કાંઈ શીખ્યા છે. તેઓ જે શીખવે તે સ્વીકારજો. શાન્તિ મેળવવી હોય તો મનને એકાગ્ર બનાવજો. એ વિના શાન્તિ નહિ મળે. ભગવાનને ભૂલતા નહિ, એ ખાસ સૂચના છે. પૂજ્ય યશોવિજયસૂરિજી : મહામહિમ પ્રભુ શ્રી આદિનાથને પ્રણામ. પરમ શ્રદ્ધેય પરમ ગીતાર્થ પૂજ્ય આચાર્ય ભગવંતના આશીર્વાદપૂર્વક આપણી સાધના શરૂ થાય છે. પંચાચારમયી આપણી સાધના છે. અઠવાડિયામાં પંચાચારમાં ઊંડાણમાં જવા માટે પ્રાયોગિક ધોરણે પ્રયત્ન કરવાનો છે. જ્ઞાનાચારનું પાલન આગમ-વાચના દ્વારા પ્રભુના પાવન શબ્દો દ્વારા સાંભળીને કર્યું. દર્શનાચાર ચહેરા પર દેખાય છે. સૌને ભગવાન પર * * * * * * * * * * * * રદ ૨૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy