SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ તમે બધા જીવદયા માટે પાછળ નહિ જ પડો, પૂજ્યશ્રીની વાત પ્રેમથી વધાવી લેશો, એવી શ્રદ્ધા છે. નૂતન પદસ્થો તથા દીક્ષિતોને પૂજ્યશ્રી દ્વારા હિતશિક્ષા... चत्तारि परमंगाणि, दुलहाणीह जंतुणो । माणुस्सत्तं सुई सद्धा, संजमम्मि अ वीरिअं ॥ - ભગવાન મહાવીર ચાર વસ્તુ અત્યંત દુર્લભ બતાવે છે : માનવજન્મ, ગુરુ પાસેથી ધર્મશ્રવણ, તે પરની શ્રદ્ધા (રુચિ) અને તેનું આચરણ. શ્રવણ થયા પછી પણ શ્રદ્ધા ન થાય તો શ્રવણ વ્યર્થ જાય. શ્રદ્ધા થયા પછી તે મુજબનું જીવન ન બને ત્યાં સુધી તેટલી ખામી કહેવાય. આજે ત્રણ પદસ્થો તથા ચૌદ આત્માઓ દીક્ષિત બન્યા છે. આજની ઘડી અતિધન્ય છે : આ ઉત્તમોત્તમ જે પદો મળ્યા છે, તેને કેમ શોભાવવા ? તે આપણે ગુરુ ભગવંત પાસેથી જાણવાનું છે. પંન્યાસ-ગણિ વગેરે પદ મળ્યા પછી ભાર વધે છે. તમે પણ મુખી બનો છો ત્યારે ભાર વધે ને ? પંન્યાસ-ગણિપદની એટલી મહત્તા છે કે જો એ પ્રમાણે જીવી જાણીએ તો મોટી કર્મની નિર્જરા થાય. ગુણોની વૃદ્ધિ દ્વારા જ કર્મની નિર્જરા થશે. તમે સૌ ગુણ પ્રાપ્તિમાં ઉજમાળ બનજો. તમારા ગુણો દ્વારા સંઘમાં ઉલ્લાસ વધે, ધન્ય-ધન્ય જિનશાસન... એવા ઉગારો સરી પડે, એવું તમારું જીવન હોવું જોઈએ. નૂતન દીક્ષિતોને કહેવાનું : જે પ્રતિજ્ઞા સ્વયં ભગવાને લીધી તે તમને મળી છે, એનું મહત્ત્વ ઓછું ન આંકશો. આ પ્રતિજ્ઞા લઈને જીવનભર સમતામાં રહેવું છે. જીવનભર પાપક્રિયાથી દૂર રહેવાનું છે. થોડું પણ પર-પીડન ન થાય, તેની કાળજી રાખવાની છે. જિન-ભક્તિ, ગુરુ-ભક્તિ, શાસ્ત્ર-સ્વાધ્યાય વગેરેમાં મગ્ન * * * * * * = = * * * * * ૩પ૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy