SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) આગમોના ઉદ્ધારક પૂ. સાગરજી મ. (૪) સંયમીઓના ઉદ્ધારક પૂ. પ્રેમસૂરિજી, પૂ. રામચન્દ્રસૂરિજી. આ કાળમાં વિશિષ્ટ કોટિના, સંયમીઓ તૈયાર કરીને પૂજ્યશ્રીએ ઘણો જ ઉપકાર કર્યો છે. પૂજ્યશ્રીના ચરમોમાં અગણિત વંદન. પૂ. નવરત્નસાગરસૂરિજી : પ્રેમ “ નામ અઢી અક્ષરનું છે ! પ્રેમને જાણી લે તે પંડિત કહેવાય. “પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોય; ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય.” - કબીર. પૂ. પ્રેમસૂરિજી મ.માં સાચે જ પ્રેમના ઓઘ ઉમડતા હતા. નફફટ લોકોના હૃદયમાં પણ વૈરાગ્યનો દીપક પ્રગટાવવાનું ભગીરથ કામ એમણે કરેલું. હમણા જ ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી કહી ગયા તેમ ચાર શાસન સ્તંભ થઈ ગયા. પૂ. સાગરજી મહારાજે એકલપંડે આ ભગીરથ કાર્ય કર્યું. ખંડિત પ્રતોમાં પણ પ્રકાંડ પ્રજ્ઞાથી તૂટેલા આગમપાઠો જોડ્યા. તે અસલ પ્રતમાં પણ પછીથી તેવા જ મળ્યા. સંયમના ઉદ્ધારક પૂ. પ્રેમસૂરિજીએ ઘણી શાસન-સેવા કરી છે. જ્યાં ગયા ત્યાં ચારિત્રની જ પ્રભાવના કરી છે. ગમતાનો કરીએ ગુલાલ' પોતાને ગમતું ચારિત્ર અનેકોને આપ્યું. એમના ગુણો અમારામાં પણ આવે, તેવી મંગલ કામના. પૂજ્ય કલાપૂર્ણસૂરિજી ઃ ચાતુર્માસના પ્રારંભથી અત્યાર સુધી એક થઈને અમે રહ્યા છીએ. અને આગળ પણ રહીશું. આવી સારી પરંપરા ચાલે તો સારું છે ને ? આમાં શાસનની શોભા જ છે ને ? અમારા શ્રમણો એક જ પાટ પર છે.' એવું જાણીને શ્રાવકવર્ગને કેટલો આનંદ થાય ? ૩૧૨ * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * ક
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy