SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ રામચન્દ્રસૂરિજી મ. વાંચતા વાંચીને ડોલી ઊઠતા : વાહ ! કેવું અદ્ભુત લખ્યું છે ? પૂ. ભદ્રગુપ્તસૂરિજી માટે આથી અધિક બીજું કયું પ્રમાણપત્ર હોઈ શકે ? પૂ.આ.શ્રી યશોવિજયસૂરિજી : એક વખત પૂજયશ્રીની વાચના સાંભળવા મળી. મારી આદત પ્રમાણે હું એમના મુખમાંથી નીકળતા શબ્દોની પાછળ અશબ્દ અવસ્થાને જોઈ રહ્યો. શબ્દો તો એક બહાનું છે, એક માધ્યમ છે; તમને મળવાનું. શબ્દોના ઉપયોગ વિના મહાપુરુષો તમને શી રીતે મળી શકે ? પૂજ્યશ્રીના ઘડવૈયા પૂ. પ્રેમસૂરિજી. પૂ. પ્રેમસૂરિજી એક અચ્છા શિલ્પી હતા. એમણે અનેક શિલ્પોનું (મુનિઓનું) સર્જન કર્યું. ગાંધીજી માટે હું ઘણીવાર કહું છું : ગાંધીજી સ્વયં એટલા વિદ્વાન ન હતા, પણ એમના અનુયાયીઓ એમનાથી પણ વધુ વિદ્વાન હતા. છતાં એ બધા વિદ્વાનોને તેમણે એક સાંકળે બાંધી લીધા. પૂ. પ્રેમસૂરિજીને ગાંધીજી સાથે આ અપેક્ષાએ સરખાવી શકાય. એમણે જ્યાં જ્યાં શક્તિઓ જોઈ તે સૌને ખેંચી લીધા. ભિન્ન-ભિન્ન શક્તિઓ ધરાવતા કેટલા મહાત્માઓને તેમણે તૈયાર કર્યા ? સાચે જ તેઓ ઉત્કૃષ્ટ શિલ્પી હતા. એમના અનેક શિલ્પોમાંનું એક નમૂનેદાર શિલ્પ તે પૂ. ભદ્રગુપ્તસૂરિજી. પૂ. પ્રેમસૂરિજી એક વાતમાં ખાસ આગ્રહી રહ્યા : જીવન નિર્મળ જ હોવું જોઈએ. જીવનની ચાદરમાં કોઈ ડાઘ લાગી જાય, તે તેઓ ચલાવી લેતા નહિ. આથી જ એમના સમુદાયમાં વિશુદ્ધ સંયમી મહાત્માઓની શ્રેણિ તૈયાર થઈ શકી. પૂ. ભદ્રગુપ્તસૂરિજીને આજે તમે ભાવાંજલિ આપવા એકઠા થયા છો. તો આ નિમિત્તે શું કરશો ? એમના પુસ્તકો અવશ્ય વાંચજો. કદાચ બધા ન વાંચી શકો એમણે છેલ્લી માંદગીમાં લખેલા સુલસા, લય-વિલય, શોધ-પ્રતિશોધ વગેરે કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૮૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy