SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ 'होउ मे एसा अणुमोअणा अरिहंताइसामत्थओ । अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो ।' - પંચસૂત્ર. અરિહંત આદિના પ્રભાવથી મારી આ અનુમોદના સફળ બનો. કારણ કે ભગવાન અચિન્ય શક્તિયુક્ત છે.” 5 વ્યવહારનય કહે છે : ગુરુ અને ભગવાન જ સંપૂર્ણ તારણહાર છે. એ વિના ભક્તિ નહિ જાગે. સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુમાં પણ જે શક્તિ પ્રગટી છે અરિહંત ભગવાનના જ પ્રભાવે પ્રગટી છે. * સાધનામાં સિદ્ધિ જોઈતી હોય તો નિરંતર કર્યા કરો. થોડીવાર કરો ને ફરી મૂકી દો તે ન ચાલે. સાધનામાં સાતત્ય જોઈએ. સાધનાની લાઈન જોડાયેલી જોઈએ. રેલવે-પાટા જોડાયેલા ન હોય તો ગાડી જઈ શકે નહિ. આપણી સાધના પણ ખંડિત બનેલી હોય તો મુક્તિ સુધી નહિ જઈ શકે. - સાધનામાં સાતત્ય નહિ હોય તો મોહરાજા એટલો ભોળો નથી કે આત્મ - સામ્રાજ્યનું સિંહાસન છોડી દે. સીટ છોડવી સહેલી થોડી છે ? એક કદાચ જતો રહે તો તેના સ્થાને બીજાને મૂકતો જાય, પોતાની પરંપરા ચાલુ રાખે. સીટ ખાલી ન જ કરે. આવા મોહ સામે મેદાને પડવું કાંઈ સહેલું નથી. સાધનામાં જો અતિચારો લાગ્યા કરે તો અનુબંધનો તંતુ અખંડ ન રહે. માટે જ અહીં પંજિકાકારે લખ્યું : अतिचारोपहतस्य अनुबन्धाभावात् ।। આ ચારિત્ર આ જીવનમાં તો મળ્યું, પણ હવે આગામી ભવોમાં તો જ મળશે, જો અનુબંધનો તંતુ જળવાઈ રહેશે. ગુરુની હિતશિક્ષાથી જે જરાય વિચલિત ન બને, સંપૂર્ણ સમર્પિત રહે, તે જ ખરો શિષ્ય કહેવાય. હેમચન્દ્રસૂરિજી જેવાએ તો ત્યાં સુધી કહ્યું : અમે કેવા જડ – બુદ્ધિવાળા પાક્યા કે અમને સમજાવવા ગુરુને વારંવાર વાચના આપીને શ્રમ કરવો પડે છે ! • આ વખતે જે કેટલાક પદાર્થો ખુલ્યા તેવા કદી x x x x = = = = = ૨પ૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy