SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ડાયરેકટલી કે ઈન્ડાયરેકટલી પુષ્ટ કરતા. વાચનામાં નવી-નવી અનુપ્રેક્ષાની ફુરણા જ્યારે સ્કુટ થતી ત્યારે માન-કષાયનો જરાય આંટો ન જોવા મળે પ્રભુએ કૃપા કરી મને આમ સુઝાવ્યું, આમ બતાવ્યું એમ કહી પોતાની જાતને પરમાત્માથી સતત અનુગૃહીત રૂપે પ્રદર્શિત કરતા. પૂજ્યશ્રીની વાચનાની સૌથી ધ્યાનાકર્ષક વાત એ જોવા મળતી કે કોઈ પણ વાત પ્રમાણ વિના ન મૂકે શ્રી ભગવતીજી, શ્રી પન્નવણાજી, શ્રી જ્ઞાનસાર, શ્રી યોગસાર, શ્રી અધ્યાત્મસારની કે ભક્તામર, કલ્યાણમંદિરની પંક્તિઓ આપીને જ સંતોષ માનતા... આથી વિશેષ વાત એ રહેતી કે સંસ્કૃત-પ્રાકૃતના પાઠોને ગુજરાતી ભાષાના સ્તવનાદિમાંથીયા | રજુ કર્યા વિના ન રહેતા. આ માટે શ્રી દેવચંદ્રજી મ., શ્રી આનંદઘનજી મ., શ્રી યશોવિજયજી મ.ની રચનાઓ પૂજ્યશ્રીની ખાસ પસંદગી હતી. તે સિવાય જે ગ્રંથની વાચના આપે તે ગ્રંથના રચયિતા તરફ પૂજ્યશ્રી ભારે બહુમાન અને આદર વારંવાર વ્યક્ત કરતા. એની પાછળ પૂજ્યશ્રીની માન્યતા કે એથી આપણો ક્ષયોપશમ વધે છે. વાચનામાં પૂજ્યશ્રીની દૃષ્ટિ બહુ જ ચકોર રહેતી અને વાણી પાણીના વહેણ જેવી સરલ અને સરસ વહેતી... આપણને એમ જ લાગે કે બસ, જાણે વહ્યા જ કરીએ... વહ્યા જ કરીએ... પૂજ્યશ્રીની વાચનાને શબ્દસ્થ અને પુસ્તકસ્થ કરવાનું કામ આત્મીય મિત્રો પંન્યાસશ્રી મુક્તિચન્દ્રવિજયજી મ. ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી મ.નો ખૂબ ખૂબ આભાર... 18
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy