SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વ (૨૪) રુચિ. (૩) ચારિત્ર ભાવના : સર્વવિરત, દેશવિરત, અવિરત સમ્યગ્દષ્ટિ. અનંતાનુબંધી કષાયના ક્ષય કે ક્ષયોપશમ વિના ૪થું ગુણઠાણું ન મળે. માટે અવિરત સમ્યગ્દષ્ટિને પણ અહીં (ચારિત્ર ભાવનામાં) સમાવ્યા છે. અનંતાનુબંધી ચારિત્ર મોહનીય કર્મનો ભેદ છે. (૪) વૈરાગ્ય ભાવના : અનાદિ સંસારમાં ભ્રમણનું ચિંતન, વિષય - વૈમુખ્ય અને શરીરની અશુચિતાનું ચિંતન. જ ભવનયોગ અને કરણયોગનું સ્વરૂપ વીર્ય આઠ પ્રકારે છે : યોગ : રાજા અધિકારીને આજ્ઞા કરે તેમ આત્મા આત્મપ્રદેશોને કર્મક્ષય માટે કાર્યશીલ બનાવે. વીર્ય : દાસી દ્વારા કચરો ફેંકવામાં આવે, તેમ કમનો કચરો ફેંકવો. સ્થામ : દંતાળીથી કચરો ખેંચવામાં આવે તેમ ક્ષય કરવા કર્મોને ખેંચવા. ઉત્સાહ : ફુવારાથી પાણી ઊંચું ચડાવવામાં આવે તેમ કમને ઊંચે લઈ જવા. પરાક્રમ : છિદ્રવાળા કુંડલામાંથી તેલને નીચે લઈ જવાય તેમ કર્મને નીચે લઈ જવા. ચેષ્ટા : તપેલા લોખંડમાં પાણીની જેમ કમને સૂકવવા. શક્તિ : તલમાંથી તેલને છૂટું પાડવાની જેમ કર્મ-જીવનો સાક્ષાત્ વિયોગ કરાવવો તે. આત્મ તૃપ્તિનું લક્ષણ વીર્યની પુષ્ટિ છે. આત્મ-વીર્યની પુષ્ટિ ન હોય તો થોડી-થોડી વારે ચિત્ત ચંચળ થયા કરે, વિચલિત થઈ જાય. આ યોગ વગેરે આઠને ત્રણથી ગણતાં ૨૪ ભેદો. તે ૨૪ને પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠા સમાધિથી ગણતાં ૯૬ થયા. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * * * * * * ૧૦૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy